ચીનમાં કોરોના વાઈરસના ડરથી લોકોએ કર્યું કંઈક એવું કે જેલ જવાનો વારો આવ્યો!

|

Feb 03, 2020 | 2:48 PM

કોરોના વાઈરસનું નામ સાંભળીને ચીનમાં લોકો પોતાના ઘરમાંથી નીકળવાનું નામ નથી લઈ રહ્યાં. ચીનમાં ભણવા માટે ગયેલાં લાખો વિદ્યાર્થીઓને દુનિયાના વિવિધ દેશ પોતાના વતન લાવી રહ્યાં છે. અંદાજે 17 હજારથી વધારે લોકોની ચીનમાં મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાઈરસના લીધે 362 લોકોના મોત નીપજી ચૂક્યાં છે તો અમુક લોકો આ વાઈરસના લીધે જેલમાં […]

ચીનમાં કોરોના વાઈરસના ડરથી લોકોએ કર્યું કંઈક એવું કે જેલ જવાનો વારો આવ્યો!

Follow us on

કોરોના વાઈરસનું નામ સાંભળીને ચીનમાં લોકો પોતાના ઘરમાંથી નીકળવાનું નામ નથી લઈ રહ્યાં. ચીનમાં ભણવા માટે ગયેલાં લાખો વિદ્યાર્થીઓને દુનિયાના વિવિધ દેશ પોતાના વતન લાવી રહ્યાં છે. અંદાજે 17 હજારથી વધારે લોકોની ચીનમાં મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાઈરસના લીધે 362 લોકોના મોત નીપજી ચૂક્યાં છે તો અમુક લોકો આ વાઈરસના લીધે જેલમાં પણ જઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :  VIDEO: શિયાળુ પાકનું મબલક ઉત્પાદન છતા ખેડૂતો નિરાશ, પાકના નથી મળતા પૂરતા ભાવ !


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચીનમાં આ વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ અફવાહો ફેલાવી રહ્યાં હતા. આ અફવાહના લીધે લોકોમાં ડરનો માહોલ પેદા થઈ રહ્યો હોવાથી ચીનની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. 250 લોકોની ઓળખાણ કરવામાં આવી છે અને તેને કોરોના વાઈરસ અંગે અફવા ફેલાવવાના લીધે જેલમાં ધકેલી દેવાયા છે. આમ ચીન કોરોના વાઈરસ બાબતે જેમ તેમ સોશિયલ મીડિયા પર લખનારા લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીનમાં જે લોકોને અફવાહ ફેલાવવા બાબતે જેલમાં પૂરવામાં આવ્યા છે તે નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે. ચીનમાં બિન સરકારી સંસ્થાઓ અને માનવાધિકાર સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. લોકો કહીં રહ્યાં છે કે જ્યારે તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ત્યારે તેઓને કોઈ જ જાણકારી નહોતી. લોકો ડરી રહ્યાં હતા અને તેના લીધે સોશિયલ મીડિયામાં આવી વિગતો પોસ્ટ કરી હતી. જેના લીધે ચીનની સરકારે જે લોકોને જેલમાં બંધ કર્યા છે તેને છોડી પણ મૂકવા જોઈએ. આ સિવાય એનજીઓએ દાવો કર્યો છે કે લોકો ક્યારેક ડરના માહોલમાં આવી પોસ્ટ કરી દેતા હોય છે અને તના લીધે આવી સજા ન આપી શકાય.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article