Corona Vaccine: અડધા વિશ્વની નજર Made in India વેક્સિન પર, 92 દેશોએ કર્યો ભારતનો સંપર્ક

|

Jan 22, 2021 | 9:46 AM

ભારતમાં કોરોના સામે લડત આપવા રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ગઈ છે. ત્યાર બાદ અન્ય દેશોમાં પણ તેની માંગ વધતી જોવા મળી રહી છે.

Corona Vaccine: અડધા વિશ્વની નજર Made in India વેક્સિન પર, 92 દેશોએ કર્યો ભારતનો સંપર્ક
Made in India vaccine

Follow us on

Corona Vaccine: ભારતમાં કોરોના સામે લડત આપવા રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ગઈ છે. ત્યાર બાદ અન્ય દેશોમાં પણ તેની માગ વધતી જોવા મળી રહી છે. વિશ્વના 92 દેશોએ Made in India રસી મેળવવા માટે ભારતનો સંપર્ક કર્યો છે. આ ઘટનાથી ભારતની વિશ્વસનીયતા મજબૂત થતી જોવા મળી રહી છે. ગયા શનિવારે કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન શરૂ થયું હતું. અને રસીની આડ અસર ખુબ ઓછી જોવા મળી રહી છે.

આ જોયા બાદ દુનિયાના ઘણા દેશોએ ભારતની રસી લેવામાં રસ દાખવ્યો છે. ડોમિનિકન રિપબ્લિકના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના વેક્સિન મોકલવાની વિનંતી કરી છે. તેમણે તેમના પત્રમાં લખ્યું છે કે હું વિનમ્રતાથી તમને રસી મોકલવા વિનંતી કરું છું, જેથી આપણે આપણા લોકોને આ મહામારીથી બચાવી શકીએ.

આ ઉપરાંત બ્રાઝિને રસી લેવા માટે એક વિશેષ વિમાન ભારત મોકલ્યું છે. રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને વેક્સિન મોકલવાની વિનંતી કરી છે. ત્યારે બોલિવિયાની સરકારે 5 મિલિયન ડોઝ કોરોના રસી માટે સીરમ સંસ્થા સાથે પણ સંપર્ક કર્યો છે. ભારત સરકાર સદભાવના તરીકે નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિતના ઘણા પડોશી દેશોમાં પણ રસી મોકલી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે ભારતમાં કોવિશિલ્ડ અને કોવાક્સિન આપવામાં આવી રહ્યા છે. તેમાંથી કોવિશિલ્ડનું નિર્માણ ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા કરવામાં આવ્યું છે. તેનું ઉત્પાદન પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ કરી રહ્યું છે. કોવેક્સીન સ્વદેશી રસી છે અને તેનું નિર્માણ ભારત બાયોટેક દ્વારા આઈસીએમઆરના સહયોગથી કરવામાં આવે છે.

પાડોશી દેશો સાથે વેક્સિન મૈત્રી સંબંધ

પડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળ સાથેની મિત્રતા નિભાવતા ભારતે વેક્સિનના 20 લાખ અને 10 લાખ ડોઝ મોકલ્યા હતા. મહામારી સામે લડવા માટે રસીના આ ડોઝ બંને દેશોને વિના મૂલ્યે આપવામાં આવ્યા છે. ભારત ટૂંક સમયમાં મ્યાનમાર અને સેશેલ્સને પણ રસી સપ્લાય કરશે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે કોવિશિલ્ડના 1.5 મિલિયન ડોઝ મ્યાનમાર મોકલવામાં આવશે. આ અગાઉ બુધવારે રસીના દોઢ લાખ ડોઝ ભૂટાન, માલદિવ્સને એક લાખ ડોઝ મોકલવામાં આવ્યા છે. વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે નેપાળને ભારતીય રસી સૌથી પહેલા મળી. અમે સૌથી પહેલા પડોશીઓની મદદ કરી રહ્યા છીએ. અન્ય એક ટ્વિટમાં તેમણે બાંગ્લાદેશ સાથેની વેક્સિન મૈત્રીને પ્રાથમિકતા ગણાવી હતી. ભારતે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં પાડોશી દેશો ભુતાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સને વેક્સિન આપવામાં આવશે. જ્યારે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મોરેશિયસને ત્યારે વેક્સિન આપવામાં આવશે જ્યારે ત્યાંના સંસ્થાઓ ભારતીય વેક્સિનને મંજૂરી આપે છે.

Next Article