AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના બાદ હવે આવ્યો આ નવો વાયરસ, વેસ્ટ નાઇલ વાયરસનું તોળાતું સંકટ, જાણો તેના લક્ષણો

રશિયાએ વેસ્ટ નાઇલ વાયરસ સંક્રમણ ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરી છે. હળવા તાપમાન અને ભારે વરસાદને કારણે ઉત્પન્ન થવાનું અનુકૂળ વાતાવરણ સર્જાશે.

કોરોના બાદ હવે આવ્યો આ નવો વાયરસ, વેસ્ટ નાઇલ વાયરસનું તોળાતું સંકટ, જાણો તેના લક્ષણો
West Nile Virus
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 11:36 AM
Share

રશિયાએ પાનખરની ઋતુમાં વેસ્ટ નાઇલ વાયરસ (West Nile virus) સંક્રમણ ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરી છે. હળવા તાપમાન અને ભારે વરસાદને કારણે મચ્છરો માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. આ વર્ષે ભારે વરસાદ, ગરમ અને લાંબી પાનખરને કારણે, મચ્છરોને સંવર્ધન માટે અનુકૂળ વાતાવરણ મળશે. એવું જોવા મળ્યું છે કે મોટી સંખ્યામાં મચ્છર પાનખરમાં આ પ્રકારના વાયરસને વહન કરી શકે છે. રશિયામાં પશ્ચિમ નાઇલ તાવના 80 ટકાથી વધુ દક્ષિણ -પશ્ચિમ ક્ષેત્રમાં નોંધાય છે.

WNVએ ચેપી રોગ છે જે મચ્છરો દ્વારા ફેલાય છે. તે ક્યુલેક્સ મચ્છરના કરડવાથી પક્ષીઓમાં અને માણસોમાં ફેલાય છે. આને કારણે, મનુષ્યમાં જીવલેણ ન્યુરોલોજીકલ રોગ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, પશ્ચિમ નાઇલ તાવ ધરાવતા 20 ટકા લોકો વાયરસથી પ્રભાવિત છે. આ વાયરસ ઝીકા, ડેન્ગ્યુ અને યલો ફિવર વાયરસ સાથે સંબંધિત છે.

આ વાયરસના લક્ષણો શું છે?

જેઓ WNVથી સંક્રમિત છે તેઓ સામાન્ય રીતે હળવા લક્ષણો ધરાવે છે અથવા કોઈ લક્ષણો નથી. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ અને લસિકા ગ્રંથીઓમાં સોજો છે. તે થોડા દિવસોથી કેટલાક અઠવાડિયા સુધી ટકી શકે છે અને તે જાતે જ સરખો થઈ જાય છે.

આ વાયરસનું ઉદ્દભવ ક્યાં થયો?

ડબ્લ્યુએચઓ અનુસાર ડબ્લ્યુએ પ્રથમ વખત 1937માં યુગાન્ડાના પશ્ચિમ નાઇલ જિલ્લામાં એક મહિલામાં આ વાયરસ મળી આવ્યો હતો. 1953માં નાઇલ ડેલ્ટા પ્રદેશમાં કાગડા અને કોલમ્બિફોર્મ નામના પક્ષીઓમાં તેની ઓળખ કરવામાં આવી હતી. 1997 પહેલા, WNVને પક્ષીઓ માટે રોગકારક માનવામાં આવતું ન હતું. પરંતુ ઇઝરાયેલમાં, વિવિધ પ્રકારના પક્ષીઓ આ વાયરસના કારણે મૃત્યુ પામ્યા હતા, જેમાં એન્સેફાલીટીસ અને લકવોના લક્ષણો જોવા મળ્યા હતા. ડબ્લ્યુએચઓ કહે છે કે, મનુષ્યમાં WNV ચેપ 50 વર્ષથી હાજર છે.

તે ક્યારે ખતરનાક બને છે?

જો વેસ્ટ નાઇલ વાયરસ મગજમાં પ્રવેશ કરે છે, તો તે જીવલેણ બની શકે છે. તેનાથી મગજમાં સોજો આવી શકે છે. જેને એન્સેફાલીટીસ કહેવાય છે. અથવા મગજ અને કરોડરજ્જુની આસપાસના પેશીઓમાં બળતરા હોઈ શકે છે, જેને મેનિન્જાઇટિસ કહેવામાં આવે છે.

WNVનું નિદાન કેવી રીતે થાય છે

તે શારીરિક તપાસ, તબીબી ઇતિહાસ અને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા બાદ ઓળખી શકાય છે.

કોને વધુ જોખમ છે?

વૃદ્ધો, બાળકો અને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેઓને આ વાયરસનું સંક્રમણ થવાની સંભાવના છે.

સંક્રમણ બાદ સારવાર શું છે ?

મનુષ્યમાં WNV રોગ માટે કોઈ ચોક્કસ રસી અથવા સારવાર નથી. WNVને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ મચ્છરના કરડવાથી બચવાનો છે. જ્યારે સારવારની વાત આવે છે, ત્યારે દર્દીને વેસ્ટ નાઇલ વાયરસના કારણે થતી નર્વસ સિસ્ટમના હુમલાથી સુરક્ષિત રાખવું જોઈએ. જેમાં ઘણીવાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને તેમને નસમાં પ્રવાહી, શ્વસન સહાય અને અન્ય ચેપ સામે રક્ષણ આપવામાં આવે છે. વૈજ્ઞાનિકો કહે છે કે, આબોહવા પરિવર્તનને કારણે, હળવા તાપમાનમાં WNV જેવા રોગો વધુ વ્યાપક બની શકે છે.

આ પણ વાંચો:  GATE Registration 2022: GATE પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા ક્યારે યોજાશે

આ પણ વાંચો: Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">