Yemen Civil War: યમનનો મારિબ પ્રાંત બન્યું ‘યુદ્ધનો અખાડો’, સરકારી દળોએ 140 હૌતી વિદ્રોહીઓને મારી નાખ્યા

|

Oct 14, 2021 | 10:45 PM

યમન (Yemen) 2014થી ગૃહ યુદ્ધની પકડમાં છે. હકીકતમાં આ સમય દરમિયાન હૌતી બળવાખોરોએ રાજધાની સના અને દેશના મોટાભાગના ઉત્તર પર કબજો કર્યો.

Yemen Civil War: યમનનો મારિબ પ્રાંત બન્યું યુદ્ધનો અખાડો, સરકારી દળોએ 140 હૌતી વિદ્રોહીઓને મારી નાખ્યા
File photo

Follow us on

યમનના (Yemen) સરકારી દળો અને દેશના હૌતી વિદ્રોહીઓ (Houthi rebels) વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ભીષણ લડાઈ ચાલી રહી છે. દેશનો મધ્ય પ્રાંત મારિબ (Marib Province) આ લડાઈના કેન્દ્રમાં છે. જ્યાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર લડાઈ ચાલી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 140 હૌતી બળવાખોરો માર્યા ગયા છે. 

આદિવાસી નેતાઓ અને સુરક્ષા અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તીવ્ર લડાઈ મોટાભાગે સરકાર દ્વારા નિયંત્રિત મારિબ પ્રાંતના દક્ષિણ ભાગોમાં અબ્દિયા અને અલ-જુબાહ જિલ્લાઓમાં હતી.

ઈરાન સમર્થિત શિયા હૌતી વિદ્રોહીઓ છેલ્લા અઠવાડિયામાં વ્યૂહાત્મક પ્રાંત તરફ આગળ વધ્યા છે. તે જ સમયે લશ્કરી ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા સાઉદી અરેબિયા પર પણ સરહદ પારથી હુમલા વધી રહ્યા છે. સાઉદી અરેબિયા સરકાર વતી હૌતીઓ સામે લડી રહ્યું છે. અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, મારિબ પ્રાંતમાં સંઘર્ષ વધી રહ્યો છે, કારણ કે સરકારી દળોએ ગત સપ્તાહે બળવાખોરોના કબજાવાળા વિસ્તારો પર વળતો હુમલો કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ અધિકારીઓને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી નથી. જેના કારણે તેઓએ તેમના નામ જાહેર કર્યા નથી. તે જ સમયે આદિવાસી નેતાઓએ બદલો લેવાના ડરથી નામ ન આપવાનું કહ્યું.

સત્તા પર પાછા ફરવા માટે સંઘર્ષ ચાલુ છે
યમન 2014થી ગૃહ યુદ્ધની પકડમાં છે. હકીકતમાં આ સમય દરમિયાન હૌતી બળવાખોરોએ રાજધાની સના અને દેશના મોટાભાગના ઉત્તર પર કબજો કર્યો હતો. આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને દક્ષિણમાં ભાગી જવાની ફરજ પડી હતી.

આ પછી સરકારી અધિકારીઓ સાઉદી અરેબિયા ભાગી ગયા. સાઉદીની આગેવાની હેઠળનું ગઠબંધન માર્ચ 2015 માં યુદ્ધમાં પ્રવેશ્યું હતું. તેને અમેરિકાનો ટેકો પણ મળ્યો. તેમનો ઉદ્દેશ સરકારને ફરી સત્તા પર લાવવાનો હતો. જોકે, અત્યાર સુધી આમ કરવામાં કોઈ સફળતા મળી નથી.

હૌતી બળવાખોરો તેલથી ભરપૂર મારિબ પર કબજો કરવા માગે છે
મોટા પાયે હવાઈ કાર્યવાહી અને જમીન લડાઈ હોવા છતાં યુદ્ધ મોટે ભાગે સ્ટેન્ડઓફમાં ફેરવાઈ ગયું છે. તે જ સમયે આ યુદ્ધને કારણે વિશ્વની સૌથી ખરાબ માનવતાવાદી કટોકટી ઉભી થઈ છે. યમનના ઉત્તરીય ભાગ પર પોતાનું નિયંત્રણ પૂર્ણ કરવા માટે હૌતીઓએ વર્ષોથી તેલથી સમૃદ્ધ મારિબને પકડવાનો પ્રયાસ કર્યો છે.

તાજેતરના મહિનાઓમાં, તેણે તેના પ્રયત્નોમાં વધારો કર્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી મારિબમાં બંને પક્ષોના લોકો મોટી સંખ્યામાં લડાઈમાં માર્યા ગયા છે. હૌતી વિદ્રોહીઓ વિશે કહેવામાં આવે છે કે તેઓ ઈરાન મારફતે હથિયારો મેળવે છે.

આ પણ વાંચો : Bihar Panchayat Election: ચૂંટણીમાં હાર પચાવી ના શકતા, ઉમેદવારે JCB થી રસ્તો ખોદી નાખ્યો

આ પણ વાંચો :જેલની અંદરથી 200 કરોડની વસૂલાત કેસમાં નોરા ફતેહીની ED એ કરી પૂછપરછ, જેક્લીન ફર્નાન્ડીઝને પણ સમન્સ

Next Article