સોશિયલ મીડિયા (Social Media)પર એવી અફવા છે કે ચીનના રાષ્ટ્રપતિને નજરકેદ કરવામાં આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં જ જ્યારે શી જિનપિંગ (xi jinping)ઉઝબેકિસ્તાનમાં સમરકંદ SCO સમિટમાં હતા ત્યારે તેમને સેના પ્રમુખ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, અત્યાર સુધી ન તો ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી કે ન તો રાજ્ય મીડિયા ગ્લોબલ ટાઈમ્સે આ વાતને નકારી નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #XiJinping હેશટેગ હજારોની સંખ્યામાં ટ્વિટ કરવામાં આવી રહ્યું છે. ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ બાદ આ સવાલ ઝડપથી ઉઠી રહ્યો છે. જો કે, તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે અફવાની તપાસ થવી જોઈએ કે શી જિનપિંગ બેઇજિંગમાં નજરકેદ છે.
New rumour to be checked out: Is Xi jingping under house arrest in Beijing ? When Xi was in Samarkand recently, the leaders of the Chinese Communist Party were supposed to have removed Xi from the Party’s in-charge of Army. Then House arrest followed. So goes the rumour.
— Subramanian Swamy (@Swamy39) September 24, 2022
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું, “ચીન વિશે એક નવી અફવા છે, જેની તપાસ કરવામાં આવશે. શું શી જિનપિંગ નજરકેદમાં છે? એવું માનવામાં આવે છે કે જિનપિંગ તાજેતરમાં સમરકંદમાં હતા ત્યારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ સૈન્ય પ્રમુખને પદ પરથી હટાવવાનું કહ્યું હતું. જે બાદ એવી અફવા છે કે તેઓ નજરકેદ હતા. આ ટ્વીટની સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે.
#PLA military vehicles heading to #Beijing on Sep 22. Starting from Huanlai County near Beijing & ending in Zhangjiakou City, Hebei Province, entire procession as long as 80 KM. Meanwhile, rumor has it that #XiJinping was under arrest after #CCP seniors removed him as head of PLA pic.twitter.com/hODcknQMhE
— Jennifer Zeng 曾錚 (@jenniferatntd) September 23, 2022
ચીનના કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જિનપિંગને નજરકેદમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ શી જિનપિંગને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે લી કિયાઓમિંગ ચીનના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે.
હાલમાં, આવા સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. ઇન્ટરનેશનલ ડેસ્કના પત્રકારો માને છે કે આવી બાબતો માત્ર ચર્ચા છે. ચીન વિશે સમાચાર આપતી ગ્લોબલ ટાઈમ્સ, સીએનએન કે બીબીસી જેવી ચેનલોએ પણ આ વાતની પુષ્ટિ કરી નથી. આવી સ્થિતિમાં, અત્યાર સુધીનું સત્ય એ છે કે શી જિનપિંગને ન તો નજરકેદ કરવામાં આવ્યા છે અને ન તો ચીનમાં કોઈ બળવો થયો છે.
હકીકતમાં, ચીનમાં આ અઠવાડિયે, બે ભૂતપૂર્વ પ્રધાનોને મૃત્યુદંડની સજા અને ચાર અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એક ‘રાજકીય જૂથ’નો ભાગ હતા. અત્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીનું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. માનવામાં આવે છે કે આ અધિકારીઓ અને પૂર્વ મંત્રીઓ જિનપિંગના વિરોધી હતા. એવું માનવામાં આવે છે કે આ અફવા જિનપિંગ વિરોધી કેમ્પ દ્વારા ફેલાવવામાં આવી છે.
તાજેતરમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 22મા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થવા માટે ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં હતા. આ SCO બેઠકમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સામેલ થયા હતા. આ બેઠકમાં ભારતને આગામી 23મી SCOની યજમાની આપવામાં આવી છે. આ માટે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ ભારતને અભિનંદન પાઠવ્યા હતા.
Published On - 3:39 pm, Sat, 24 September 22