AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લાહોર ભારતનો ભાગ હતો તો પછી પાકિસ્તાનને કેમ આપવામાં આવ્યું? જાણો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજન રેખા દોરવા કરતાં વધુ, ચર્ચા એ વાત પર થતી હતી કે લાહોર, જેમાં મુખ્યત્વે હિન્દુ વસ્તી છે, તે પાકિસ્તાનમાં જશે કે ભારતમાં.લાહોર પાકિસ્તાનને કેમ આપવામાં આવ્યું? જાણો

Breaking News : લાહોર ભારતનો ભાગ હતો તો પછી પાકિસ્તાનને કેમ આપવામાં આવ્યું? જાણો
| Updated on: May 19, 2026 | 1:50 PM
Share

છેલ્લા કેટલાક દાયકાઓમાં, લાહોરમાં અનેક ઐતિહાસિક શેરીઓ અને વિસ્તારોના નામ બદલવામાં આવ્યા છે. બ્રિટિશ યુગ અને હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલા નામો દૂર કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ ઇસ્લામિક અથવા સ્થાનિક નેતાઓના નામ મૂકવામાં આવ્યા છે. આ પહેલનું નેતૃત્વ ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ કરી રહ્યા છે. તેઓ “લાહોર હેરિટેજ એરિયા રિવાઇવલ પ્રોજેક્ટ”નું પણ નેતૃત્વ કરે છે.લાહોર પાકિસ્તાનને કેમ આપવામાં આવ્યું? જાણો

ભાગલાને અમલમાં મૂકવું સરળ નહોતું

દેશ ભલે 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભાગલાની તૈયારીઓ તે પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. 3 ઓગસ્ટ 1947 ના રોજ, લોર્ડ માઉન્ટબેટને સ્વતંત્રતા માટેની પોતાની યોજના રજૂ કરી, જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્વતંત્રતા પછી ભારત બે ભાગમાં વહેંચાઈ જશે. જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણાએ પણ લોર્ડ માઉન્ટબેટનની યોજના સ્વીકારી હતી, પરંતુ ભાગલાને અમલમાં મૂકવું સરળ નહોતું. ભારતની વસ્તીને ધ્યાનમાં રાખીને, હિન્દુસ્તાનનો કયો ભાગ ભારતમાં રહેવો જોઈએ અને કયો પાકિસ્તાનને આપવો જોઈએ તે નક્કી કરવું મુશ્કેલ હતું.

અનેક વિચારો કર્યા બાદ નક્કી થયું કે, ભાગલા ધર્મના આધાર પર નક્કી થશે. પરંતુ એ પણ સરળ ન હતુ કારણ કે, કેટલાક વિસ્તાર એવા હતા. જ્યાં હિન્દુ-મુસ્લિમની આઝાદી બરાબરી પર હતી. બ્રિટિશ સરકારે આની જવાબદારી સિરિલ રેડક્લિફને આપી હતી. રસપ્રદ વાતે એ હતી કે,સિરિલ રેડક્લિફ પહેલા ન તો ક્યારે ભારત આવ્યો હતો. કે તે ભારતની વૈવિધ્યસભર વસ્તીથી વાકેફ હતા.

સિરિલ રેડક્લિફ કોણ હતા?

બ્રિટિશ સરકાર માનતી હતી કે રેડક્લિફ, જે ક્યારેય ભારત આવ્યા ન હતા, તે ભારત-પાકિસ્તાનના વાટાઘાટો માટે યોગ્ય વ્યક્તિ હશે. આ કાર્ય માટે લોર્ડ માઉન્ટબેટને તેમની પસંદગી કરી હતી. રેડક્લિફ વ્યવસાયે વકીલ હતા.

લાહોર પાકિસ્તાનને કેમ આપવામાં આવ્યું?

હિન્દુ મુસ્લિમની વસ્તી કરતા પર એ વાતની વધારે ચર્ચા થઈ હતી કે,રેડક્લિફ હિન્દુ વસ્તી વાળા લાહોર પાકિસ્તાનને આપશે કે નહી. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ભાગલાની તૈયારી દરમિયાન લાહૌરને ભારતનો ભાગ મળી ચૂક્યો હતો પરંતુ તૈયારીને અંતિમ રુપ આપતી વખતે જોવામાં આવ્યું કે, પાકિસ્તાનના ભાગમાં કોઈ મોટું શહેર નથી. આ માટે લાહૌર પાકિસ્તાનમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ સ્વતંત્રતા સુધી લાહોર ભારતનો ભાગ રહ્યું, જ્યારે તેને બાદમાં સત્તાવાર રીતે પાકિસ્તાનનો ભાગ જાહેર કરવામાં આવ્યું.

સરહદ નક્કી થયા પછી, સ્થળાંતર શરૂ થયું. લાખો લોકો ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતરિત થયા. ભાગલા પછી, રેડક્લિફ બ્રિટન પાછો ફર્યો અને ક્યારેય ભારત પાછો ફર્યો નહીં.

Breaking News : પાકિસ્તાનના આ રસ્તાઓ હવે કૃષ્ણનગર, સંતનગર, લક્ષ્મી ચોક, ધર્મપુરાથી ઓળખાશે, જાણો કારણ અહી ક્લિક કરો

Follow Us
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">