AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોમાલિયામાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ, હુમલામાં 18ના મોત, 40 ઘાયલ

સોમાલિયામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ત્યાં હાજર વાહનોના ટુકડા થઈ ગયા. આકાશમાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. આ બોમ્બ બ્લાસ્ટ સોમાલિયાના બેલેડવેઈન શહેરમાં થયો હતો. સુરક્ષા ચેકપોસ્ટ પાસે વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં વિસ્ફોટ થયો હતો.

Breaking News: સોમાલિયામાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ, હુમલામાં 18ના મોત, 40 ઘાયલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 6:45 AM
Share

Somalia Bomb Blast: સોમાલિયામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બોમ્બ બ્લાસ્ટ સોમાલિયાના બેલેડવેઈન શહેરમાં થયો હતો. સુરક્ષા ચેકપોસ્ટ પાસે વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ત્યાં હાજર વાહનોના ટુકડા થઈ ગયા હતા.

આ પણ વાંચો: Accident Video: રોમાનિયામાં મોટો અકસ્માત, ગેસ સ્ટેશન વિસ્ફોટમાં એકનું મોત, 40થી વધુ લોકો ઘાયલ, જુઓ બ્લાસ્ટનો ભયાનક Video

આકાશમાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા. હિર્શાબેલે પ્રાંતના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર જનરલ અબ્દીફતાહ મોહમ્મદ યુસુફે 15 મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 40માંથી 20ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેને વધુ સારી સારવાર માટે મોગાદિશુ લઈ જવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર આવ્યા છે

બીજી તરફ, બેલેડવેઈન પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા છે. આમાંના મોટાભાગના લોકો આસપાસના છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ પ્રચંડ વિસ્ફોટમાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

અલ-શબાબ આતંકવાદીઓ પર હુમલાની આશંકા

આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. લગભગ પાંચ-છ દિવસ પહેલા અલ-શબાબના આતંકીઓએ સોમાલિયામાં મોટો આતંકી હુમલો કર્યો હતો. જેમાં 167 જવાનો શહીદ થયા હતા. આ સિવાય ઘણા સૈન્ય ઉપકરણોને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે અલ-શબાબ સોમાલિયાનું એક મોટું જેહાદી આતંકવાદી જૂથ છે. 2006માં અસ્તિત્વમાં આવેલા આ જૂથનો ઉદ્દેશ્ય સોમાલિયા સરકારને ઉથલાવી પાડવાનો છે.

થોડા સમય પહેલા રોમાનિયામાં પણ ગેસ સ્ટેશન વિસ્ફોટ થયો હતો

રાજધાની બુકારેસ્ટમાં એક ગેસ સ્ટેશન પર વિસ્ફોટ(Blast) થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 46 લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટનાસ્થળે હાજર હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. જણાવી દઈએ કે આગની આ ઘટના ક્રેવેડિયા, રોમાનિયામાં બની છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">