AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈમરાન ખાન માટે સૌથી ખરાબ સમાચાર, તેના પર લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રતિબંધ, જાણો

ઈમરાન ખાન, તેમની પત્ની બુશરા બીબી અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અન્ય 80 નેતાને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે આ લોકો હવે દેશ છોડીને ભાગી શકશે નહીં.

Breaking News : ઈમરાન ખાન માટે સૌથી ખરાબ સમાચાર, તેના પર લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રતિબંધ, જાણો
Imran khan and Bushra bibi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 6:24 PM
Share

Pakistan : આંતરીક ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન પર શાહબાઝ સરકાર અને પાકિસ્તાની સેનાએ કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાન, તેમની પત્ની બુશરા બીબી અને અન્ય પીટીઆઈના 80 સભ્યોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે હવે આ લોકો દેશ છોડીને પણ ભાગી શકશે નહીં.

ઈમરાન પર આ નિયંત્રણ એવા સમયે કડક કરવામાં આવ્યો છે જ્યારે તેના પર આર્મી એક્ટ લગાવવાની તૈયારી ચાલી રહી છે. ઈમરાનની ધરપકડ બાદ 9 મેના રોજ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી. ઈમરાન પર હિંસાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આના એક દિવસ પહેલા દેશને સંબોધિત કરતા ઈમરાન ખાને શહેબાઝ સરકાર અને સેના પર પીટીઆઈને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ઈમરાને કહ્યું હતું કે મારી પાર્ટી વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈમરાને ટ્વીટ કર્યું છે કે મારા 10,000 થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓને જેલમાં પુરી દેવાયા છે અને તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનમાં ફાટી નીકળેલી હિંસા બાદ ઈમરાન ખાનને સતત ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈમરાનના ખૂબ જ નજીકના અને પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી સહિત પીટીઆઈના ઘણા મોટા નેતાઓએ હિંસાની ટીકા કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

ઈમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ લાગી શકે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, શાહબાઝ સરકાર ઈમરાનની પાર્ટી પીટીઆઈ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે ઈમરાનની ધરપકડ બાદ પીટીઆઈ સમર્થકો દ્વારા દેશના સૈન્ય પ્રતિષ્ઠાન પર હુમલા બાદ સરકાર આ પગલું ઉઠાવવા પર વિચાર કરી રહી છે. ઈમરાનના સમર્થકોએ આઈએસઆઈ બિલ્ડિંગ, લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન અને મિયાંવાલી એરબેઝ સહિત અનેક લશ્કરી સંસ્થાઓમાં તોડફોડ કરી અને આગ લગાડી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">