બાંગ્લાદેશ : મોહમ્મદ યુનુસના શપથ ગ્રહણમાં ભારત વતી કોણ રહ્યું હતું હાજર ?

|

Aug 09, 2024 | 5:11 PM

બાંગ્લાદેશમાં ગઈકાલે 8 ઓગસ્ટના રોજ, વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. જેમાં મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા, મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા.

બાંગ્લાદેશ : મોહમ્મદ યુનુસના શપથ ગ્રહણમાં ભારત વતી કોણ રહ્યું હતું હાજર ?
swearing in of Mohammed Yunus

Follow us on

બાંગ્લાદેશમાં વધતીજતી હિંસા વચ્ચે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા છે. મોહમ્મદ યુનુસે 8 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન ‘બંગભવન’ ખાતે આયોજિત સમારોહમાં બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનરે ભાગ લીધો હતો.

બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ ગયા મહિને સિવિલ સર્વિસિસમાં અનામતને લઈને વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, જે હિંસામાં ફેરવાઈ ગયું હતું. જ્યારે શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડીને ભારત ભાગી ગયા ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી, જેને નિયંત્રિત કરવા માટે વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.

ભારતીય હાઈ કમિશનર સામેલ હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા, યુનુસને બાંગ્લાદેશમાં સરકાર રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનની સાથે 16 વધુ સહયોગીઓએ પણ શપથ લીધા છે. ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં વચગાળાની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રચાર વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી. હસીનાના રાજીનામાના ત્રણ દિવસ બાદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

16 સભ્યોની સલાહકાર સમિતિની રચના

પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને મોહમ્મદ યુનુસને શપથ લેવડાવ્યા હતા. યુનુસને મદદ કરવા માટે, 16 સભ્યોની સલાહકાર પરિષદની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી ચળવળના બે અગ્રણી આયોજકો મોહમ્મદ નાહીદ ઇસ્લામ અને આસિફ મેહમૂદનો સમાવેશ થાય છે અને ચાર મહિલાઓ પણ આ કાઉન્સિલમાં જોડાઈ હતી. પ્રથમ વખત 26 વર્ષના બે યુવાનો કેબિનેટમાં સામેલ થયા છે.

યુનુસની મદદ માટે 16 સભ્યોની સલાહકાર પરિષદમાં નાહીદ ઈસ્લામ, આસિફ મહમૂદ, રિઝવાના હસન, ફરીદા અખ્તર, આદિલ-ઉર-રહેમાન ખાન, એએફએમ ખાલિદ હુસૈન, નૂરજહાં બેગમ, શરમીન મુર્શીદ, ફારૂક-એ-આઝમ, સાલેહુદ્દીન અહેમદ, નઝરુલ, હસન આરીફ, એમ સખાવત, સુપ્રદીપ ચકમા, વિધાન રંજન રોય અને તાહીદ હુસૈન, પ્રોફેસર આસિફનો સમાવેશ થાય છે.

Next Article