AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી 36 લોકોના મોત, 200થી વધુ લોકો થયા ઘાયલ

દક્ષિણ બાંગ્લાદેશમાં શુક્રવારે મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે.

Bangladesh: મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી 36 લોકોના મોત, 200થી વધુ લોકો થયા ઘાયલ
symbolic picture
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 3:16 PM
Share

દક્ષિણ બાંગ્લાદેશમાં શુક્રવારે મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. રાજધાની ઢાકાથી 250 કિમી દૂર ઝલકોટી જિલ્લામાં આ દુર્ઘટના બની હતી, જ્યારે સુગંધા નદીમાં બોટના એન્જિનમાં આગ લાગી હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નદીની વચ્ચે બોટમાં આગ લાગી હતી. વહીવટીતંત્ર દ્વારા ઓછામાં ઓછા 36 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. મોટાભાગના લોકો આગમાં દાઝી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા અને કેટલાક લોકોએ જીવ બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. આ દર્દનાક અકસ્માતમાં 200થી વધુ લોકો આગમાં દાઝી ગયા હતા, જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બરગુના જતી બોટ ‘MV અભિજન-10’ શુક્રવારે સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગ્યે આ બોટ ઢાકાથી નીકળી હતી. ફાયર સર્વિસ કંટ્રોલ રૂમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માહિતી મળ્યા બાદ 15 ફાયર બ્રિગેડ એકમોને સવારે 3:50 વાગ્યે સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને સવારે 5:20 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

દુર્ઘટનામાં ઘાયલ એક વ્યક્તિએ બાંગ્લાદેશી અખબાર ડેઈલી સ્ટારને જણાવ્યું, “સવારે લગભગ 3 વાગ્યે એન્જિન રૂમમાં અચાનક આગ લાગી અને આગ ગાબખાન બ્રિજ પાસે ઝડપથી ફેલાઈ ગઈ. બોટમાં બાળકો અને વૃદ્ધો સહિત 500 જેટલા મુસાફરો સવાર હતા. આમાંથી ઘણા લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. આગ લાગ્યા બાદ હું, મારી પત્ની અને મારી વહુ નદીમાં કૂદીને કિનારે પહોંચ્યા હતા.

ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સવારે 9 વાગ્યા સુધી ઓછામાં ઓછા 90 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે, આગ એન્જિન રૂમમાં શરૂ થઈ હતી, જે બાદમાં બોટના બાકીના ભાગમાં ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો: MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">