DGCAએ ભારતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટના અવરજવર પર જે પ્રતિબંધ હતો તેને વધારી દીધો છે. હવે 31 જૂલાઈ સુધી ભારતમાં કોઈપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ લેન્ડ નહીં કરી શકે છે કે ભારતથી અન્ય દેશ નહીં જઈ શકે. કોરોના વાઈરસની મહામારીના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Ban on international commercial passenger flights to and from India extended till July 31, 2020. #TV9Newspic.twitter.com/5tne7jabZi
— tv9gujarati (@tv9gujarati) July 3, 2020
DGCAના આદેશ મુજબ કોરોના વાઈરસના લીધે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેને 31 જૂલાઈ સુધી વધારવામાં આવ્યો છે. જો કે ઈન્ટરનેશનલ કાર્ગો અને DGCA તરફથી જે રુટ પર મંજૂરી આપવામાં આવી છે એવી ફ્લાઈટને આ નિયમ લાગુ નહીં પડે. આ પહેલાં પણ સરકારે આદેશ કર્યો હતો અને 15 જૂલાઈ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધને જ યથાવત રાખીને તારીખ 31 જૂલાઈ સુધી લંબાવવામાં આવી છે.
સરકારે જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટના પરિચાલન માટે ભારત અન્ય દેશ પર નિર્ભર છે. જો અન્ય દેશ ભારતની ફ્લાઈટને આવવાની મંજૂરી આપે તો સેવા શરૂ થઈ શકે છે. ઓથોરિટી એવા પ્રયાસ કરી રહી છે કે આ વર્ષના અંત સુધીમાં તમામ ડોમેસ્ટિક ફ્લાઈટને ઓપરેટ કરી શકાય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 11:37 am, Fri, 3 July 20