કોરોના વાઈરસની મહામારીથી સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 97 લાખને પર પહોંચી છે. આ વાઈરસના રોજબરોજ નવા લક્ષણ સામે આવી જાય છે. તાવ, શરદી,ખાંસી, ગળામાં ખરાશ વગેરે તો કોરોનાના સામાન્ય લક્ષણ છે પણ હવે કહેવામાં આવી રહ્યું છે કે પેટ સંબંધિત બીમારી પણ કોરોનાનું લક્ષણ હોય શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કેરલમાં ફરી માનવીય મૂલ્યોનું અધપતન, માનવીએ વટાવી ક્રુરતાની હદ, જુઓ આ વીડિયો
ભારતમાં એવા ઘણા કેસ સામે આવ્યા છે, જેમાં કોરોના સંક્રમિતોને પેટ સંબંધિત બીમારીઓ જોવા મળી છે. અમેરિકન જર્નલ ઓફ ઈમરજન્સી મેડિસિનમાં પ્રકાશિત એક શોધમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં એવા ઘણા કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં પેટ સંબંધિત બિમારીઓ જોવા મળી છે.
વૈજ્ઞાનિકોએ ન્યૂયોર્ક શહેર સ્થિત કોવિડ હોસ્પિટલોમાં દાખલ 12 હજારથી વધુ દર્દી પર અભ્યાસ કર્યો, તેમાં લગભગ 51 ટકા દર્દી એવા હતા, જેમને પેટ સંબંધીત બીમારીઓના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે 65 વર્ષથી વધારે ઉંમરના દર્દીઓને ગેસ, ડાયેરિયા જેવી બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી તપાસમાં જાણવા મળ્યું કે તે કોરોના સંક્રમિત છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો