Gujarati NewsInternational newsAsteroid warning if an asteroid collides with the earth there will be a catastrophe experts say
Asteroid Warning: અગર ધરતી સાથે એસ્ટરોઈડની ટક્કર થઈ તો આવશે મોટી તબાહી, ઈમરજન્સી પ્લાન બનાવવામાં લાગ્યા તજજ્ઞો
Asteroid Warning: દુનિયાભરનાં વૈજ્ઞાનિક આ મહિનાનાં અંતમાં વિયનામાં બેઠક કરવા માટે જઈ રહ્યા છે. આ બેઠકમાં ઘરતી પર એસ્ટરોઈડ (Asteroid) ટકરાવા જઈ રહ્યું છે તેના ખતરા અંગે ચર્ચા કરવામાં આવશે.
Asteroid Warning: અગર ધરતી સાથે એસ્ટરોઈડની ટક્કર થઈ તો આવશે મોટી તબાહી
Follow us on
Asteroid Warning: દુનિયાભરનાં વૈજ્ઞાનિક આ મહિનાનાં અંતમાં વિયનામાં બેઠક કરવા માટે જઈ રહ્યા છે. આ બેઠકમાં ઘરતી પર એસ્ટરોઈડ (Asteroid) ટકરાવા જઈ રહ્યું છે તેના ખતરા અંગે ચર્ચા કરવામાં આવશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અગર એસ્ટરોઈડ ધરતી સાથે ટકરાય છે તો સંકટ ઉભુ થઈ શકે છે.
ધરતી સાથે એસ્ટરોઈડનાં ટકરાવાની આશંકા વચ્ચે તજજ્ઞોએ ચેતવ્યા છે કે અગર આવું કોઈ સંકટ ક્યારેય આવે છે તો તેનાથી ના માત્ર તબાહી આવશે પરંતુ દુનિયામાં માનવઅધિકારોનું પણ ગંભીર સંકટ પેદા થશે. તેમણે જણાવ્યું કે અગર એસ્ટરોઈડના ટકરાવવાનો ખતરો ઉભો થાય છે તો વિશ્વભરમાં શરણાર્થીઓ માટે મોટું સંકટ શરૂ થઈ જશે અને લોકો યુરોપ, અમેરિકા છોડીને એશિયા કે પશ્ચિમ એશિયા તેમજ પ્રશાંત મહાસાગર તરફ જઈ શકે છે.
આ ખતરાને જોતા જ અવકાશી બાબતોનાં વિશેષજ્ઞો આ મહિને એક સાથે આવી રહ્યા છે કે જેથી કરીને એસ્ટરોઈડ અગર ધરતી સાથે ટકરાય છે તો તેના માટે ઈમરજન્સી પ્લાન બનાવી શકાય. તજજ્ઞોએ ચેતવણી આપી છે કે આપણે ન માત્ર એસ્ટરોઈડનાં ટકરાવાની શરૂઆતી અસર સાથે ઝીક ઝીલવાની છે તેના પછી પણ ઉભી થનારી માનવઅધિકારો સાથેનાં સંકટને પહોચી વળવા માટે પણ તૈયાર રહેવું પડશે.
આખી દુનિયામાં ઉભુ થશે શરણાર્થી સંકટવિયનામાં આગામી 26 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે પ્લેનેટરી ડિફેન્સ કોન્ફરન્સ થવા માટે જઈ રહી છે. આ બેઠકમાં અવકાશી મામલાનાં વિશેષજ્ઞો ચર્ચા કરશે કે અગર એસ્ટરોઈડ જેવી કોઈ વસ્તુ ખરેખર ધરતી સાથે ટકરાય છે તો શું કરવું જોઈએ. વૈજ્ઞાનિકો તેમની કલ્પનાનાં એસ્ટરોઈડની મદદથી પોતાની તૈયારીઓને ચેક કરશે, સાથે જ તેનાથી બચવાનાં ઉપાય પર પણ.આ દરમિયાન વૈજ્ઞાનિક એ જાણવાની કોશિશ કરશે કે આ એસ્ટરોઈડ ધરતીનાં કયા છેડા પર જઈને ટકરાશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોઈ નાનો એસ્ટરોઈડનાં ટકરાવા પર અમુક કિલોમીટર સુધી અને કોઈ મોટો એસ્ટરોઈડ ટકરાય છે તો તેની અસર અનેક સો કિલોમીટર સુધી થઈ શકે છે. તેમનું કહેવું છે કે અગર પહેલેથી તૈયારીઓ નથી કરવામાં આવતી તો લાખો લોકોની જાન જઈ શકે છે. કાંઠા વિસ્તારમાં પૂર પણ આવી જઈ શકે છે. આ સ્થિતિ થવાને લઈને શરણાર્થી સંકટ પણ ઉભુ થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અમેરિકા અને યુરોપમાં એસ્ટરોઈડ ટકરાઈ શકે છે અને તેનાથી શરણાર્થી સંકટ એશિયામાં ઉભુ થઈ શકે છે.
ધરતીને કેટલું નુક્શાન?
નભમંંડળમાં દાખલ થતાની સાથે જ અવકાશી કડકો ટુટીને બળી જાય છે અને ક્યારેક ઉલ્કાપિંડ જેવા બનીને ધરતી પર દેખાય છે. ઘણો મોટો આકાર હોવાને કારણે ધરતીને તે નુક્શાન પહોચાડી શકે છે, જો કે નાના ટુકડાઓથા વધારે મોટો ખતરો નથી. ખાસ કરીને તે સમુદ્રમાં જ પડતા હોય છે કેમકે ધરતીના મોટા હિસ્સા પર પાણીની હાજરી છે. અગર કોઈ સ્પીડ સ્પેસ ઓબ્જેક્ટ ઘરતીથી 46.5 લાખ માઈલની નજીક આવવાની સંભાવના હોય તો જ સ્પેસ ઓર્ગેનાઈઝેશન તેને ખતરનાક માને છે. NASAની Sentry સિસ્ટમ આવા ખતરા પર પહેલેથી જ નજર રાખે છે. આમાં આવનારા 100 વર્ષ માટે અત્યારે 22 આવા એસ્ટરોઈડ શોધાયા છે કે જે ઘરતી સાથે ટકરાવાની સંભાવના છે.