યુક્રેન યુદ્ધ પર UNSCમાં ભારતે કહ્યું કે રશિયા-યુક્રેન પર અમારું વલણ લોકો પર આધારિત છે

|

Oct 22, 2022 | 9:55 AM

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને જણાવ્યું હતું કે દેશ યુક્રેનને માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખશે તેમજ ખાદ્યપદાર્થો, ઇંધણ અને ખાતરના ભાવમાં વધારાથી પ્રભાવિત દેશોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.

યુક્રેન યુદ્ધ પર UNSCમાં ભારતે કહ્યું કે રશિયા-યુક્રેન પર અમારું વલણ લોકો પર આધારિત છે
યુએનએસસીના નાયબ કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર આર. રવિન્દ્ર

Follow us on

ભારત (india)રશિયા-યુક્રેનમાં (Russia-Ukraine)ચાલી રહેલા યુદ્ધને લઈને ઘણી વખત પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે અને કહ્યું છે કે આ મુદ્દાને વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે. જોકે બંને દેશો વચ્ચે વિવાદ એટલો વધી ગયો છે કે વાતચીતના આધારે સમાધાનનો રસ્તો દેખાતો નથી. ભારતે ફરી એકવાર આ યુદ્ધ માટે પોતાનો અભિગમ આગળ ધપાવ્યો છે અને કહ્યું છે કે યુક્રેન પર તેનું વલણ લોકો-કેન્દ્રિત એટલે કે લોકો આધારિત રહેશે. દેશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને એમ પણ કહ્યું કે ભારત ખોરાક, ઇંધણ અને ખાતરના ભાવમાં વધારાથી પ્રભાવિત દેશોને સમર્થન આપવાનું ચાલુ રાખશે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નાયબ સ્થાયી પ્રતિનિધિ રાજદૂત આર. રવિન્દ્રએ UNSC બ્રિફિંગમાં કહ્યું, ‘અમે યુક્રેનને માનવતાવાદી સહાય આપી રહ્યા છીએ. જ્યારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા તેના કેટલાક પાડોશી દેશોને આર્થિક મદદ કરી રહી છે. ખોરાક, ઈંધણ અને ખાતરની વધતી કિંમતો એ રશિયા-યુક્રેન સંઘર્ષનું પરિણામ છે, જેનો આ સમયે સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યું છે. 18 અબજ યુરો આપવાની યોજનાને શુક્રવારે લીલી ઝંડી આપવામાં આવી હતી.

ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે રશિયા તેમના દેશના ઉર્જા માળખાને નષ્ટ કરીને શરણાર્થી સંકટને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. બ્રસેલ્સમાં 27-રાષ્ટ્રોના EUના નેતાઓની સમિટમાં મંજૂર કરાયેલી યોજના, માસિક હપ્તાના સ્વરૂપમાં યુક્રેન માટે યુએસ નાણાકીય સહાય સમાન હશે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું: ‘યુક્રેને અમને કહ્યું છે કે તેમને મૂળભૂત સુવિધાઓ જાળવવા માટે દર મહિને લગભગ 3-4 બિલિયન યુરોની જરૂર છે.’

EU રશિયાના બર્બર હુમલાની નિંદા કરે છે

લેયેને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા વધારાના ભંડોળ સાથે આ આંકડો યુરોપિયન યુનિયન અને યુએસ દ્વારા સમાન રીતે પૂર્ણ કરવામાં આવશે. લેયેને મીડિયાને કહ્યું કે યુક્રેન માટે સતત આવકની યોગ્ય વ્યવસ્થા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે EU દર મહિને લગભગ 1.5 બિલિયન યુરો આપવા માંગે છે. EU નાણા પ્રધાનોને એકસાથે ભંડોળ એકત્ર કરવા માટે સિસ્ટમ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. લેયેને નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાના બર્બર અને ઇરાદાપૂર્વકના હુમલાની પણ નિંદા કરી હતી.

Published On - 9:55 am, Sat, 22 October 22

Next Article