અમેરિકામાં શીખ પરિવારની હત્યાઃ આરોપીના ભાઈની પણ ધરપકડ, પુરાવા નષ્ટ કરવાનો આરોપ

|

Oct 09, 2022 | 9:27 AM

અધિકારીઓએ જણાવ્યું કે શીખ પરિવારનું (Sikh family) બંદૂકની અણી પર અપહરણ કરવામાં આવ્યું હતું. જેને લગતો એક સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આરોપી ચાર સભ્યોને હાથ બાંધીને લઈ જતો જોવા મળે છે.

અમેરિકામાં શીખ પરિવારની હત્યાઃ આરોપીના ભાઈની પણ ધરપકડ, પુરાવા નષ્ટ કરવાનો આરોપ
શીખ પરિવારની હત્યા કરનાર આરોપીના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે.

Follow us on

યુ.એસ.માં (US)એક શીખ પરિવારના (Sikh family) ચાર સભ્યોની હત્યાના આરોપી (accused)વ્યક્તિના ભાઈની પણ આ જ ગુનામાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. મૂળ પંજાબના હોશિયારપુરના આ પરિવારનું 3 ઓક્ટોબરે કેલિફોર્નિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારના ચાર સભ્યોના મૃતદેહ 5 ઓક્ટોબરે ઇન્ડિયાના રોડ અને હચિન્સન રોડ પાસેના બગીચામાંથી મળી આવ્યા હતા. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપીને કહેવામાં આવ્યું હતું કે તે આ પરિવાર માટે જ કામ કરતો હતો અને તેનો પરિવાર સાથે થોડો જુનો વિવાદ પણ હતો.

સીએનએનના અહેવાલ મુજબ, મર્સિડ કાઉન્ટી શેરિફના પ્રવક્તા એલેક્ઝાન્ડ્રા બ્રિટનએ જણાવ્યું હતું કે, “આરોપી જીસસ મેન્યુઅલ સાલ્ગાડોના ભાઈ આલ્બર્ટી સાલ્ગાડોની ગુરૂવારે રાત્રે ગુનાહિત ષડયંત્ર અને ઘટના સંબંધિત પુરાવાનો નાશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.” આ શીખ પરિવારના મૂળ છે. મૂળ ભારતના પંજાબ રાજ્યના રહેવાસી હતા. તેનો કેલિફોર્નિયામાં ટ્રકનો બિઝનેસ હતો. અધિકારીઓએ જણાવ્યું કે બંદૂકની અણી પર પરિવારનું અપહરણ કરવામાં આવ્યું હતું. આને લગતો એક સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.

મૃતકોમાં એક 8 મહિનાની બાળકી પણ સામેલ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શીખ પરિવારના ચાર મૃત સભ્યોમાં આઠ મહિનાની બાળકી આરુહી ઢેરી, તેની માતા જસલીન કૌર (27), પિતા જસદીપ સિંહ (36) અને જસદીપનો ભાઈ અમનદીપ સિંહ (39)નો સમાવેશ થાય છે. આ ઘટનાના આરોપી મેન્યુઅલ સાલ્ગાડોએ તેને કસ્ટડીમાં લેવામાં આવે તેના થોડા સમય પહેલા જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાલગાડોએ શીખ પરિવારની હત્યા કર્યાની કબૂલાત કરી છે. તે જ સમયે, શીખ પરિવારના ચાર સભ્યોમાંથી એકની દુઃખી પત્નીએ કહ્યું, ‘અમેરિકામાં અમારા સપના ખોટા સાબિત થવાની આ વાર્તા છે’.

અમેરિકામાં સપના ખોટા સાબિત થયા

અમનદીપ સિંહની વિધવા જસપ્રીત કૌરે ‘ગો ફંડ મી’ ફંડ રેઈઝરમાં જણાવ્યું હતું કે તેના પતિ અને તેનો ભાઈ છેલ્લા 18 વર્ષથી યુએસમાં રહે છે. તેણે માત્ર કેલિફોર્નિયામાં તેના પરિવારની જ નહીં પરંતુ ભારતમાં તેના વૃદ્ધ માતા-પિતાની પણ સંભાળ લીધી. પરિવારના ‘ગો ફંડ મી’ પેજ પર તેણે લખ્યું, ‘અમેરિકામાં અમારા સપના ખોટા સાબિત થવાની આ વાર્તા છે. 3 ઓક્ટોબરે અમારા પરિવારને અમારી પાસેથી હિંસક રીતે છીનવી લેવામાં આવ્યો હતો. તેમને 9 વર્ષની પુત્રી અને આઠ વર્ષનો પુત્ર છે.

પરિવારના ‘ગો ફંડ મી’ પેજ પર કરવામાં આવેલી અપીલ મુજબ, બંને ભાઈઓ પરિવારમાં આવકનો એકમાત્ર સ્ત્રોત હતા અને ભારતમાં તેમના વૃદ્ધ માતા-પિતાની પણ સંભાળ રાખતા હતા. તેઓ માત્ર પરિવાર માટે જ કામ કરતા હતા. તેનો આ પરિવાર સાથે જુનો વિવાદ હતો જેના કારણે આ હત્યાકાંડ થયો છે.

Published On - 8:24 am, Sun, 9 October 22

Next Article