
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પરથી એક એવા ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર ભારતમાં અમેરિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં અમેરિકાએ એવા કોમર્શિયલ જહાજો પર ત્રણ મોટા મિસાઇલ હુમલા કર્યા છે, જેમાં મોટાભાગના ક્રૂ મેમ્બર્સ (ખલાસીઓ) ભારતીય છે. સૌથી દુઃખદ વાત એ છે કે આ હુમલાઓમાં હવે ભારતીય નાગરિકોના જીવ જવાનું શરૂ થઈ ગયું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા આંતરિક તણાવમાં સૌથી મોટું નુકસાન નિર્દોષ ભારતીય ખલાસીઓને ભોગવવું પડી રહ્યું છે. ગઈકાલે થયેલા હુમલામાં બે ભારતીય ખલાસીઓના મોતના સમાચાર કન્ફર્મ થયા છે, જ્યારે ત્રીજા વ્યક્તિ હજુ પણ ગુમ છે. મૃતકોમાં હિમાચલ પ્રદેશના 23 વર્ષીય યુવા સેલર આદિત્ય શર્મા અને એન્જિન ફિટર શિવઆનંદ ચૌરસિયા સામેલ છે, જ્યારે ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ હજુ પણ ગુમ છે. આ ઘટના બાદ ભારતે યુએસ એમ્બેસીના અધિકારીઓને સમન્સ પાઠવીને સખત વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેની કોઈ અસર જોવા મળી નથી. આજે ફરી એકવાર એવા જ એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (US CENTCOM) દ્વારા ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફની આસપાસ આ પ્રિસિઝન સ્ટ્રાઇક્સ કરવામાં આવી રહી છે:
યુએસ સેન્ટકોમનું કહેવું છે કે આ જહાજો અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ઓઈલ ટ્રેડ કરી રહ્યા હતા. અમેરિકાના મતે, ઈરાનની કમાણી રોકવા માટે આ જહાજોને રોકવા જરૂરી છે. અમેરિકાનો દાવો છે કે આ જહાજો પોતાના ટ્રેકિંગ કોઓર્ડિનેટ્સ બંધ કરી દે છે, તેથી તેઓ પહેલા ચેતવણી આપે છે અને પછી જહાજને રોકવા માટે સીધો તેના એન્જિન રૂમ પર જ હુમલો કરે છે.
મેરીટાઇમ એક્સપર્ટ્સના મતે, કોઈપણ કોમર્શિયલ કે મર્ચન્ટ વેસલ સિવિલિયન પ્રોપર્ટી ગણાય છે. તેના પર આ રીતે સૈન્ય હુમલો કરવો તે ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) ના નિયમોની વિરુદ્ધ છે. અમેરિકા અત્યારે સત્તાવાર રીતે કોઈ યુદ્ધમાં નથી, તેમ છતાં તે એકપક્ષીય રીતે આવા હુમલા કરી રહ્યું છે, જે ‘માઇટ ઇઝ રાઇટ’ (જેની લાકડી તેની ભેંસ) જેવી સ્થિતિ દર્શાવે છે.
ભારત સરકારે ઓમાનની ઓથોરિટીઝ સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન તેજ કર્યું છે. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોર હાલમાં ક્રિટિકલ મિનરલ્સ ડાયલોગ માટે કઝાકિસ્તાન હોવાથી ભારતના વિદેશ મંત્રાલયે યુએસ ચાર્જ ડી અફેર્સ જેસન મીક્સને સમન્સ મોકલીને આકરી નિંદા કરી છે. જો કે, માત્ર કાગળ પર કે મૌખિક વિરોધ કરવાથી અમેરિકા રોકાઈ રહ્યું નથી.
હવે ભારત પાસે આ મામલાને સીધા વિદેશ મંત્રી સ્તરે (EAM Level) લઈ જવાનો વિકલ્પ છે, જ્યાં ડૉ. એસ. જયશંકર સીધા અમેરિકી વિદેશ સચિવ સાથે વાત કરીને દબાણ વધારી શકે છે, કારણ કે આ ઘટનાઓની અસર ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારી પર પણ પડી શકે તેમ છે.