કાચિંડાની જેમ ટ્રુડોએ બદલ્યો રંગ, ભારતના આકરા પગલાં બાદ હવે કહ્યું- વન ઈન્ડિયા અમારી નીતિ

|

Oct 17, 2024 | 2:52 PM

કેનેડાના પીએમ ટ્રુડોએ કહ્યું કે, અમે ભારતની એકતાનું સન્માન કરીએ છીએ. કેનેડામાં ઘણા લોકો અલગતાવાદની વાત કરે છે પરંતુ અમે વન ઈન્ડિયા પોલિસીનું સન્માન કરીએ છીએ. ભારતે સતત અમારી ટીકા કરી છે. મીડિયા દ્વારા અમારા પર હુમલો કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ ભાગીદાર હોવાના કારણે અમે ભારત સાથે ઝઘડો કરવા માંગતા નથી. અમારી વચ્ચે ગાઢ સંબંધો અને લાંબો ઈતિહાસ છે.

કાચિંડાની જેમ ટ્રુડોએ બદલ્યો રંગ, ભારતના આકરા પગલાં બાદ હવે કહ્યું- વન ઈન્ડિયા અમારી નીતિ
justin trudeau

Follow us on

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો કાચિંડાની જેમ રંગ બદલી રહ્યા છે. પહેલા તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું અને હવે ભારતના આકરા સ્ટેન્ડ પછી તેણે વન ઈન્ડિયા પોલિસીની વાત કરી. ટ્રુડોએ કહ્યું કે કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સંપૂર્ણપણે સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે. પરંતુ ઓટાવા પર હુમલો કરીને દિલ્હીએ અમારી લોકશાહીની અખંડિતતાને નબળી પાડી છે.

ટ્રુડોના આ નિવેદન બાદ હવે કડવાશ ઘટવાને બદલે વધી રહી છે. હકીકતમાં, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ટ્રુડોના આરોપો પછી, ભારતે 6 કેનેડિયન રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢ્યા હતા. અને કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પાછા ખેંચવાની પણ જાહેરાત કરી હતી. આ રીતે બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.

અમે વન ઈન્ડિયા પોલિસીનું સન્માન કરીએ છીએ – પીએમ ટ્રુડો

પીએમ ટ્રુડોએ કહ્યું કે અમે ભારતની એકતાનું સન્માન કરીએ છીએ. કેનેડામાં ઘણા લોકો અલગતાવાદની વાત કરે છે પરંતુ અમે વન ઈન્ડિયા પોલિસીનું સન્માન કરીએ છીએ. ભારતે સતત અમારી ટીકા કરી છે. મીડિયા દ્વારા અમારા પર હુમલો કરવામાં આવ્યો છે. ટ્રુડોએ કહ્યું કે મહત્વપૂર્ણ ભાગીદાર હોવાના કારણે અમે ભારત સાથે ઝઘડો કરવા માંગતા નથી. અમારી વચ્ચે ગાઢ સંબંધો અને લાંબો ઈતિહાસ છે.

સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે?
છોડના પાન પર વારંવાર આવી જાય છે ફૂગ ? આ ટીપ્સ અપનાવો
Spinach : લીલી શાકભાજી પાલકમાં કયા વિટામિન હોય છે? નિષ્ણાતો પાસેથી જાણો
આજનું રાશિફળ તારીખ : 17-10-2024
લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોનું લિસ્ટ, જુઓ યાદીમાં કોના નામ ?
લીંબુ ખાવાના પણ નિયમ ! રસોડાની આ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર કરશે મોટી અસર, જાણો

ટ્રુડો સાબિતી આપવા સંમત થયા, ભારતે વળતો જવાબ આપ્યો

અગાઉ વડા પ્રધાન ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમણે નિજ્જર હત્યા કેસમાં ભારતને કોઈ પુરાવા રજૂ કર્યા નથી. કેનેડાના પીએમે કહ્યું કે અમે ભારતને માત્ર ગુપ્ત માહિતી આપી હતી અને કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. ટ્રુડોના આ કબૂલાત પર ભારતે આકરો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે ટ્રુડોએ એ જ કહ્યું જે અમે સતત કહીએ છીએ.

Next Article