PM તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે ઈમરાન પર કટાક્ષ કર્યો, કહ્યું- વિદેશી શક્તિઓ સાથે ષડયંત્રના પુરાવા મળશે તો હું તરત જ રાજીનામું આપીશ

|

Apr 11, 2022 | 8:09 PM

શાહબાઝે કહ્યું, હું પાકિસ્તાનના નાગરિકને સત્યની સાથે ઊભા રહેવા બદલ અભિનંદન આપું છું. આપણે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયની ઉજવણી કરવી જોઈએ. પત્રના સંબંધમાં વિદેશી ષડયંત્ર વિશે ઘણું જુઠ્ઠું ફેલાવવામાં આવ્યું છે.

PM તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે ઈમરાન પર કટાક્ષ કર્યો, કહ્યું- વિદેશી શક્તિઓ સાથે ષડયંત્રના પુરાવા મળશે તો હું તરત જ રાજીનામું આપીશ
Shehbaz Sharif

Follow us on

પાકિસ્તાન (Pakistan) મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ (Shahbaz Sharif) દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમ તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે “અલ્લાહે પાકિસ્તાનને બચાવ્યું અને પસંદ કરેલા પીએમને ઘરની બહારનો રસ્તો બતાવ્યો”. પાકિસ્તાનના નવા ચૂંટાયેલા પીએમ શાહબાઝ શરીફે કહ્યું, આજે અલ્લાહે પાકિસ્તાન અને દેશના 22 કરોડ લોકોને બચાવ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે અવિશ્વાસનો મત સફળતાપૂર્વક પસાર થયો છે. દેશના લોકો આ દિવસની ઉજવણી કરશે.

શાહબાઝે કહ્યું, હું પાકિસ્તાનના નાગરિકને સત્યની સાથે ઊભા રહેવા બદલ અભિનંદન આપું છું. આપણે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયની ઉજવણી કરવી જોઈએ. પત્રના સંબંધમાં વિદેશી ષડયંત્ર વિશે ઘણું જુઠ્ઠું ફેલાવવામાં આવ્યું છે જે હજુ સુધી બહાર આવ્યું નથી. મેં તેને જોયો નથી. હું કહેવા માંગુ છું કે ન કોઈ દેશદ્રોહી હતું અને ન કોઈ દેશદ્રોહી છે.

‘પત્રને લઈને નાટક કરવામાં આવી રહ્યું છે’

રહસ્યમય પત્ર પર શાહબાઝે કહ્યું, પત્રને લઈને ડ્રામા કરવામાં આવી રહ્યો છે. આ બધી છેતરપિંડી છે. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થયો છે. ઈમરાન ખાનના અમેરિકાના નિવેદનો પર પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે જો પત્ર કેસમાં અમારી સહેજ પણ સંડોવણી સાબિત થશે તો હું પોતે અહીંથી રાજીનામું આપીને ઘરે જઈશ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

‘બુરાઈ પર અચ્છાયની જીત’

શાહબાઝે કહ્યું કે પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને કહેવાતા વિદેશી ષડયંત્ર સાથે જોડાયેલા વિવાદિત પત્ર અંગે જાણ કરવામાં આવશે. ઈમરાન ખાનના વિદેશ વિવાદને ડ્રામા ગણાવતા તેમણે કહ્યું કે બુરાઈ પર અચ્છાયની જીત થઈ છે. નેશનલ એસેમ્બલીમાં કુરેશીના ચૂંટણીના બહિષ્કાર બાદ 70 વર્ષીય શાહબાઝ જ આ પદના દાવેદાર હતા. જીત માટે 342 સભ્યોના ગૃહમાં 172 સાંસદોના સમર્થનની જરૂર હતી. ત્રણ વખતના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝને 174 મત મળ્યા, જે 172ની સાદી બહુમતી કરતાં બે વધુ છે.

આ પણ વાંચો: PM મોદીએ ભરૂચ ફેક્ટરી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી, ઇજાગ્રસ્તોને 50 હજારની મદદ

આ પણ વાંચો: Rajkot: 90 વર્ષના દાદી યુવાનોને શરમાવે તે રીતે ફેરવી રહ્યાં છે તલવાર, યુવતીઓને કહે છે હિંમતથી આગળ વધો

Next Article