World Bicycle Day 2022 : આ 5 લોકોએ ભૂલથી પણ સાઈકલ ન ચલાવવી જોઈએ, ભોગવવું પડી શકે છે નુકશાન

|

Jun 03, 2022 | 2:48 PM

સાયકલ ( Bicycle )ચલાવવાના ફાયદા અને ઉપયોગિતા વિશે જણાવવા માટે દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ સાયકલ ચલાવવાથી કેટલાક લોકોને ફાયદો નથી થતો પરંતુ નુકસાન થાય છે. તેઓએ સાયકલ ચલાવવાનું ટાળવું જોઈએ.

World Bicycle Day 2022 : આ 5 લોકોએ ભૂલથી પણ સાઈકલ ન ચલાવવી જોઈએ, ભોગવવું પડી શકે છે નુકશાન
વિશ્વ સાયકલ દિવસ
Image Credit source: Tv9bangla

Follow us on

World Bicycle Day 2022 : સાયકલિંગ એ એક સૌથી ઉત્કૃષ્ટ કસરત છે. હેલ્થ નિષ્ણાતોનું માનવું છે કે જે લોકો વધારે વર્કઆઉટ નથી કરતા તેઓ પણ જો દરરોજ લગભગ 45 મિનિટ સાઇકલ ચલાવે તો તેમને સારું વર્કઆઉટ મળે છે. આનાથી તેઓ લગભગ 250 થી 300 કેલરી બર્ન કરી શકે છે અને તમામ રોગોથી બચી શકે છે. આ ઉપરાંત પર્યાવરણને પ્રદૂષણથી બચાવવામાં પણ સાઈકલ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. સાયકલના તમામ ફાયદાઓ અને આજના સમયમાં તેની ઉપયોગીતાનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ દરેક વસ્તુના કેટલાક ફાયદા છે અને કેટલાક ગેરફાયદા પણ છે. સાયકલિંગ પણ દરેક માટે ફાયદાકારક નથી. કેટલીક એવી સમસ્યાઓ છે જેમાં સાઇકલ ચલાવવાથી મુશ્કેલી વધી શકે છે, આવી સ્થિતિમાં તે સમસ્યાઓથી પીડિત લોકોએ સાઇકલ ચલાવવાનું સંપૂર્ણપણે ટાળવું જોઇએ. અહીં જાણો ક્યા લોકોએ સાઈકલ ન ચલાવવી જોઈએ!

અસ્થમાના દર્દીઓ

નિષ્ણાતોના મતે અસ્થમાના દર્દીઓએ સાઈકલ ચલાવવી જોઈએ નહીં. વાસ્તવમાં, વ્યક્તિએ સાયકલ ચલાવવા માટે વધુ ઊર્જાનો ઉપયોગ કરવો પડે છે. તેનાથી શ્વાસની ગતિ પણ વધે છે. જો અસ્થમાના દર્દીઓ સાયકલ ચલાવે છે તો તેમનામાં શ્વાસ લેવામાં તકલીફ વધી શકે છે અને તેમને અસ્થમાનો હુમલો આવી શકે છે. તેથી, અસ્થમાના દર્દીઓએ નિષ્ણાતની સલાહ વિના સાયકલ ચલાવવી જોઈએ નહીં.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

જેમને ઘૂંટણનો દુખાવો છે

જો તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો, તો સાયકલ ચલાવવાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થાય છે. પરંતુ જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો છે, પરંતુ તેમ છતાં તમે સાયકલ ચલાવો છો, તો તમારી સમસ્યા વધી શકે છે. તેથી, નિષ્ણાતની સલાહ લીધા વિના ક્યારેય સાયકલ ચલાવશો નહીં.

વાઈના દર્દીઓ

વાઈની સમસ્યાથી પીડાતા દર્દીઓને ક્યારેક અચાનક આંચકો આવે છે. તેથી સાઇકલ ચલાવવી તેમના માટે સલામત માનવામાં આવતી નથી. સાયકલ ચલાવતી વખતે જો તેને ક્યારેય અચાનક આંચકો આવે તો તે પડી શકે છે અને ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે. તેથી આ લોકોએ સાયકલ ચલાવવાનું ટાળવું જોઈએ.

સ્નાયુમાં દુખાવો હોય તો

જો તમને તમારા પગની માંસપેશીઓમાં કોઈપણ પ્રકારની સમસ્યા અથવા દુખાવો હોય, તો નિષ્ણાતની સલાહ વિના ક્યારેય સાયકલ ચલાવશો નહીં. સાયકલિંગ તમારા સ્નાયુઓને તણાવ આપશે. આ સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે.

નાના બાળકો માટે

જો તમારું બાળક 5 વર્ષ કે તેથી વધુ ઉંમરનું છે અને સાયકલ કેવી રીતે ચલાવવી તે જાણે છે, તો તેને રસ્તા પર સાયકલ ચલાવવાની મંજૂરી આપશો નહીં. અન્યથા અકસ્માત થઈ શકે છે. જો કે સાયકલ ચલાવવી એ બાળકના વિકાસ માટે સારું છે, પરંતુ તેને હંમેશા તમારી દેખરેખ હેઠળ સાયકલ ચલાવવા દો.

Next Article