AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World AIDS Day : દર વર્ષે શા માટે મનાવવામાં આવે છે World AIDS Day, જાણો આ વર્ષની થીમ

World AIDS Day: વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી 1988 માં શરૂ થઈ. દર વર્ષે, યુએન એજન્સીઓ, સરકારો અને લોકો HIV સંબંધિત વિશેષ થીમ પર જાગૃતિ ચલાવે છે.

World AIDS Day : દર વર્ષે શા માટે મનાવવામાં આવે છે World AIDS Day, જાણો આ વર્ષની થીમ
World AIDS Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 2:53 PM
Share

વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 01 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ તમામ ઉંમરના લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ લાવવાનો છે. WHO એ સૌ પ્રથમ ઓગસ્ટ 1987 માં વૈશ્વિક સ્તરે આ વિશેષ દિવસની ઉજવણી શરૂ કરી હતી.

વિશ્વ એઇડ્સ દિવસ 2022 ની થીમ

આ વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ 2022 ની થીમ સમાનતા (Equalize) રાખવામાં આવી છે. આ થીમ એવા પડકારોની યાદીમાં જોડાઈ છે કે જેના માટે વિશ્વ એઈડ્સ દિવસએ વૈશ્વિક સ્તરે લોકોને ચેતવણી આપી છે.તમને જણાવી દઈએ કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, વિશ્વ એઇડ્સ દિવસ દરેક વ્યક્તિ અને સમુદાય માટે એક તક છે, જેમાં તેઓ સમગ્ર વિશ્વમાં આ અસાધ્ય રોગને કારણે પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિને યાદ કરી શકે છે અને તેનું સન્માન કરી શકે છે. છે.

આ દિવસનો ઇતિહાસ શું છે?

તેની ઉજવણી 1988માં શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે વિશ્વ એઈડ્સ દિવસ વૈશ્વિક સ્વાસ્થ્ય માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ હતો. દર વર્ષે, યુએન એજન્સીઓ, સરકારો અને લોકો HIV સંબંધિત વિશેષ થીમ પર જાગૃતિ ચલાવે છે. આ દિવસે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ઘણા લોકો આ રોગથી પીડિત લોકોને ટેકો આપવા માટે રેડ રિબન પણ પહેરે છે.

એડ્સ હ્યુમ્યોનો ડેફિશનએન્સી વાયરસ (HIV) ના સંક્રમણને કારણે થતો એક રોગ છે. જે શરીરના શ્વેતકણોને નિષ્ક્રિય કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરી નાખે છે. જેના કારણે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. અને શરીર બિમારીઓનું ઘર બની જાય છે. આ વાયરસ ઇન્ફેક્ટેડ બ્લડ, સીમન, અસુરક્ષિત યૌન સંબંધથી ફેલાવાની સંભાવના વધારે હોય છે.

શું છે આ રોગની સારવાર ?

એક સર્વેના અહેવાલો અનુસાર, જો કોઈ વ્યક્તિના શરીરમાં HIV એઈડ્સના વાયરસ હોય તો તે લગભગ 3 વર્ષ સુધી દવાઓ વિના જીવિત રહી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને એઈડ્સના કારણે વધુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ રહી હોય, તો દવાઓ વિના તે એક વર્ષથી વધુ જીવી શકતો નથી. એકવાર એચઆઈવી વાયરસ શરીરમાં પહોંચ્યા પછી તેને દૂર કરવું અશક્ય છે. યાગ્ય દવાઓ જ આનો કંન્ટ્રોલ કરી શકે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">