AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્થ વેલ્થ : વીગન ડાયટ શું છે? તેના ફાયદા-ગેરફાયદા વિશે જાણો, વેજીટેરિયન અને વીગનનો તફાવત

નવેમ્બર આખા મહિનાને વિશ્વભરમાં લોકો વીગન ડાયટ તરીકે ઉજવે છે. લોકો વધુને વધુ આ ડાયટ તરફ વળે અને કોઈ પ્રાણીઓને નુકસાન ન પહોંચે તે હેતુથી અને બોડીને યોગ્ય વિટામીન મળી રહે અને વજન ઘટાડવા માટે પણ આ ડાયટને ફોલો કરે છે. લોકો સદીઓથી મુખ્યત્વે વનસ્પતિ આધારિત અથવા વીગન ખોરાક ખાય છે.

હેલ્થ વેલ્થ : વીગન ડાયટ શું છે? તેના ફાયદા-ગેરફાયદા વિશે જાણો, વેજીટેરિયન અને વીગનનો તફાવત
vegan diet
| Updated on: Nov 01, 2023 | 3:33 PM
Share

વીગન ડાયટ એટલે કે શાકભાજી, અનાજ,નટ્સ અને ફળો અને છોડ આધારિત ખોરાક પર આધારિત છે. વીગન ડેરી ઉત્પાદનો અને ઇંડા સહિત પ્રાણીઓમાંથી મેળવેલા ખોરાકનું સેવન કરતા નથી એટલે કે દૂધની પ્રોડક્ટ અને તેમાં પણ પશુઓ તરફથી મળતી કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ થતો નથી. વેજીટેરિયન અને વીગન ખોરાક એ અત્યાર બધા લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે પરંતુ એવા પુરાવા છે કે કેટલાક લોકો સદીઓથી મુખ્યત્વે વનસ્પતિ આધારિત અથવા વીગન ખોરાક ખાય છે.

વીગન ડાયટમાં આ વસ્તુઓ ખાઈ શકો છો

વીગન ડાયટમાં તમે છોડ પર થતાં ખોરાકને જમવામાં ઉપયોગ કરી શકો છો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.

  • ફળ અને શાકભાજી
  • બદામ અને બીજ
  • વટાણા, કઠોળ અને મસૂર જેવા કઠોળ
  • બ્રેડ, ચોખા અને પાસ્તા
  • સોયામિલ્ક, નારિયેળનું દૂધ અને બદામનું દૂધ જેવા ડેરી વિકલ્પો
  • વનસ્પતિ તેલ

વીગન ડાયટમાં તમે આ વસ્તુઓ ન ખાઈ શકો

વીગન પ્રાણીઓમાંથી બનાવેલા કોઈપણ ખોરાક ખાઈ શકતા નથી, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • બીફ, ડુક્કરનું માંસ, લેમ્બ અને અન્ય લાલ માંસ
  • ચિકન, બતક અને મરઘાં
  • માછલી અથવા શેલફિશ જેમ કે કરચલા, છીપવાળી ખાદ્ય માછલી અને મસલ્સ
  • ઇંડા
  • ચીઝ, માખણ
  • દૂધ, ક્રીમ, આઈસ્ક્રીમ અને અન્ય ડેરી ઉત્પાદનો
  • મેયોનેઝ (કારણ કે તેમાં ઈંડાની જરદી હોય છે)
  • મધ

વેજીટેરિયન અને વીગન વચ્ચે સમાનતા અને તફાવતો

  • વેજીટેરિયન અને વીગન વચ્ચેની સૌથી મોટી સમાનતા એ છે કે, પ્રાણી ઉત્પાદનો ખાવાનું ટાળવા બંનેનો હેતુ એક જ છે. તેમની વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે તેઓ પ્રાણી ઉત્પાદનો સ્વીકારે છે. બંને લોકો માંસ-મચ્છી ખાવાનું ટાળે છે. જો કે વીગન લોકો પ્રાણીઓની તમામ ઉપ-ઉત્પાદનોને ટાળવાનું પણ પસંદ કરે છે. કારણ કે તેઓ માને છે કે આ તેમના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર સૌથી વધુ અસર કરે છે.
  • શાકાહારી લોકો ખોરાક માટે પ્રાણીઓની હત્યા કરવાનો વિરોધ કરે છે, પરંતુ સામાન્ય રીતે દૂધ અને ઇંડા જેવા પ્રાણી ઉત્પાદનોનો ઉપયોગ કરી શકે છે.
  • બીજી બાજુ વીગન માને છે કે પ્રાણીઓને માનવ ઉપયોગથી મુક્ત થવાનો અધિકાર છે, પછી ભલે તે ખોરાક, કપડાં, વિજ્ઞાન અથવા મનોરંજન માટે હોય. પરિણામે તેઓ તમામ પ્રાણી આડપેદાશોને ટાળવાનો પ્રયાસ કરે છે.

વીગન ડાયટના ફાયદા

  • બ્લડ પ્રેશર – ઘણા રિસર્ચમાં જોવા મળે છે કે વનસ્પતિ આધારિત આ ડાયટને લીધે બ્લડ પ્રેશરને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય છે.
  • હૃદયને રાખે સ્વસ્થ – વીગન ડાયટથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગ થવાનું જોખમ 16 ટકા અને આવી સ્વાસ્થ્ય સ્થિતિઓને કારણે મૃત્યુનું જોખમ લગભગ 31 ટકા ઘટાડી શકાય છે. આ ખોરાક કોલેસ્ટ્રોલને 10 થી 15 ટકાની વચ્ચે ઘટાડી શકે છે, જેના લીધે હૃદય સ્વસ્થ રહે છે.
  • ડાયાબિટીસ – વનસ્પતિ આધારિત ખોરાક ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 34 ટકા ઓછું થઈ જાય છે. આ આહારમાં ઓછી ચરબી હોય છે, જે કોલેસ્ટ્રોલનું લેવલ બેલેન્સ કરે છે અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે.
  • વજન ઘટાડે – વીગન ખોરાક જામેલી ચરબીને ઘટાડે છે. સામાન્ય રીતે વીગન આહાર ખાવાથી પણ વજન ઘટાડી શકાય છે. કેમ કે તમે અનાજ કે શાકભાજી ખાઓ છે ત્યારે ઝડપથી ભૂખ નથી લાગતી અને વારંવાર ખાવાથી બચો છો.

વીગન ડાયટના નુકસાન

એનિમિયા, હોર્મોનલ અસંતુલન, વિટામિન બી12ની ઉણપ અને ઓમેગા-3 ફેટી એસિડની ઉણપને કારણે કેટલીકવાર વીગન ડાયટને કારણે ડિપ્રેશનની ફરિયાદો જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી12, પ્રોટીન, વિટામિન ડી, કેલ્શિયમ, આયર્ન, આયોડિન, ઝિંક અને ઓમેગા-3નો સમાવેશ કરવો જરૂરી બની જાય છે.

  • ડિપ્રેશન – આ ડાયટને ફોલો કરતા લોકોમાં ડિપ્રેશનનો શિકાર બને તેવી સંભાવના રહેલી છે. કારણ કે તેમના આહારમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ (માછલીનું તેલ કે માછલી નથી) અને ઓમેગા 6 (વનસ્પતિ તેલ અને બદામ)માં વધારે ઘટાડો જોવા મળે છે.
  • હોર્મોન – આ ડાયટ કરતા લોકોમાં હોર્મોન અસંતુલિત થાય છે. જેના લીધે બોડી પર નેગેટિવ ઈફેક્ટ પણ પડે છે. આનાથી ત્વચા ફાટવી, વાળ ખરવા, અનિયમિત પિરિયડ્સ વગેરે જેવી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.
  • વિટામિન B12 – આ ડાયટને ફોલો કરતા લોકોને વિટામીન B12 ની કમી થઈ શકે છે. કેમ કે વિટામીન B12 એ ડેરી પ્રોડક્ટ અને બીજા પ્રાણીઓમાંથી મળે છે. તેથી વિટામીન B12 મળી રહે તેના સપ્લિમેન્ટ્સ શોધવા જોઈએ.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">