કેન્સર આજના વિશ્વમાં એક પ્રચંડ પડકાર છે, જે ઘણી વખત ભય પેદા કરે છે, પણ પ્રારંભિક તપાસ અને યોગ્ય સારવાર કરવામાં આવે તો પરિણામોમાં મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય છે. ત્યારે આજે કેન્સરને લઈને જાગૃતતા લાવવા માટે TV9 ડિજિટલ દ્વારા કેન્સર જાગૃતિ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા મેડિકલ ઓન્કોલોજીના પ્રતિષ્ઠિત ડૉક્ટર ડૉ. દિનેશ પેંઢારકર કેન્સરને લઈને ઘણી વાત કરી હતી.
ડો. દિનેશ પેંઢારકરે કેન્સરને સમજવું, તેમજ તેના પ્રારંભિક લક્ષણોને કેવી રીતે જાણવા સહીત તેની જાણ બાદ કેવી રીતે તેનુ નિદાન કરાવવું અને શું સાવચેતી રાખવી અંગે ઘણી મૂંઝવણો દૂર કરી હતી. આ સાથે કેન્સર સામેની લડાઈમાં સમયસરની તપાસ નિર્ણાયક છે. જે અંગે ડોક્ટરે જણાવ્યું હતુ. કારણકે સારવારના પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરે છે અને જીવન બચાવે છે. તમારી જાતને શિક્ષિત કરવાની અને તંદુરસ્ત ભવિષ્ય તરફ સક્રિય પગલાં ભરવાની આ તક ગુમાવશો નહીં.