Winter Health: શિયાળામાં ઉધરસની સમસ્યા કરી જાય છે ઘર? તો અપનાવો આ અકસીર ઘરેલુ ઉપચાર

શિયાળામાં ખાંસીની સમસ્યા સામાન્ય બની જાય છે. પરંતુ આ સમસ્યામાં પણ ખાસ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ચાલો તમને જણાવીએ કેટલાક ઘરેલુ ઉપાય, જેનાથી તમે ખાંસીથી રાહત મેળવી શકો છો.

Winter Health: શિયાળામાં ઉધરસની સમસ્યા કરી જાય છે ઘર? તો અપનાવો આ અકસીર ઘરેલુ ઉપચાર
Cough in winter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 8:08 AM

શિયાળામાં (Winter Health) ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને ઘેરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શિયાળાની ઠંડીમાં કફ જામી જવાની વધુ ફરિયાદ સામે આવતી હોય છે. આ સાથે જ ઉધરસ પણ ઘર કરી જાય છે. તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું. ખાંસીથી (Cough) છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો (Home Remedy) પણ અપનાવી શકો છો.

મધ

ખાંસી માટે મધ એક પ્રાચીન ઘરેલું ઉપાય છે. તે અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો માટે પણ જાણીતું છે. તેમાં એન્ટિવાયરલ, એન્ટિઇન્ફલેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. તે ગળાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. હર્બલ ટી અથવા ગરમ પાણીમાં 2 ચમચી મધ મિક્સ કરો અને તેનું સેવન કરો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

લસણ

લસણ નિયમિત ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે. તે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. લસણને શેકી લો અને રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ સાથે તેનું સેવન કરો. આ માટે, તમે થોડું સમારેલું લસણ ઘીમાં શેકીને તમારા ખોરાકમાં ઉમેરી શકો છો. આ કીમિયો ખાંસીથી રાહત આપશે અને પાચનમાં મદદ કરશે.

બ્રોમેલેન

અનાનસમાં બ્રોમેલિન નામનું એન્ઝાઇમ હોય છે. તેને ઉધરસ માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે. ઘણા અભ્યાસો અનુસાર, અનાનસ સાઇનસાઇટિસ અને એલર્જી આધારિત સાઇનસની સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે. આ સિવાય, તેનો ઉપયોગ ક્યારેક બળતરાની સારવાર માટે પણ થાય છે. ખાંસીના કિસ્સામાં અનાનસ ખાઓ અથવા દિવસમાં બે વાર 250 મિલી તાજા અનાનસનો રસ પીવો. ખાસ ધ્યાન રાખો કે ફળ અને રસ ઠંડા ન હોવા જોઈએ. આમ કરવાથી બળતરા વધી પણ શકે છે.

હળદર

હળદર એક એવો મસાલો છે જે દરેક ભારતીય ઘરમાં જોવા મળે છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં અસરકારક છે. તે તેના એન્ટિવાયરલ, એન્ટિઇન્ફલેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો માટે જાણીતું છે. આ મસાલાનો ઉપયોગ સદીઓથી શ્વસન રોગોની સારવાર માટે આયુર્વેદિક દવા તૈયાર કરવામાં કરવામાં આવે છે. આ માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં 1/4 ચમચી હળદર મિક્સ કરીને તેનું સેવન કરો.

મીઠાનું પાણી

મીઠાના પાણીથી ગાર્ગલિંગ (કોગળા) એ ઘરેલું ઉપાય છે. ડોકટરો પણ ગળામાં દુખાવો ઘટાડવા આની ભલામણ કરે છે. આ માટે, તમે 1 કપ ગરમ પાણીમાં 1/4 ચમચી મીઠું મિક્સ કરીને દિવસમાં અમુક વખત ગાર્ગલ કરી શકો છો.

નાસ

ઉધરસ ઘટાડવાનો એક સરળ ઉપાય નાસ લેવાનો છે. ઠંડી ઘટાડવા માટે તમે નાસ લઈ શકો છો. નાસથી તમને ઘણી રાહત મળશે. અને ત્વરિત તેની અસર પણ જોવા મળશે.

આ પણ વાંચો: Good News : શું ડેન્ગ્યુ ખતમ થઈ જશે ? ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી પદ્ધતિની કરી શોધ

આ પણ વાંચો: Health Tips : શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવા પેઈનકિલર ન ખાઓ, આ 8 કુદરતી વસ્તુઓથી મળશે છુટકારો

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">