AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદી પાણીથી વધી શકે છે કોલેરાનો ખતરો, જાણો કોલેરાથી બચવાના ઉપાયો

ડોકટરોનું કહેવું છે કે ચેપગ્રસ્ત ખોરાક અને પાણીને કારણે વી કોલરી બેક્ટેરિયા લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જેના કારણે શરીરમાં પ્રવેશ્યા બાદ પાંચથી છ કલાકમાં કોલેરાના લક્ષણો દેખાવા લાગે છે. કોલેરા પેદા કરતા બેક્ટેરિયા ગંદા પાણી, દરિયાઈ ખોરાક અને કાચા ફળોમાં હોય છે.

વરસાદી પાણીથી વધી શકે છે કોલેરાનો ખતરો, જાણો કોલેરાથી બચવાના ઉપાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 4:38 PM
Share

Cholera Diseases: વરસાદી (Rain) વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે. જેના કારણે ઘણા પ્રકારના બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે. તેથી લોકો બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શનનો શિકાર બને છે. વરસાદમાં વી. કોલરી નામનો બેક્ટેરિયા પણ ખૂબ એક્ટિવ થઈ જાય છે. આ બેક્ટેરિયાના કારણે લોકો કોલેરાનો શિકાર બને છે. કોલેરાના ચેપ પછી શરીરમાં પાણીની અછત થાય છે. જો ટુંક સમયમાં સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે.

ડોકટરોનું કહેવું છે કે ચેપગ્રસ્ત ખોરાક અને પાણીને કારણે વી કોલરી બેક્ટેરિયા લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જેના કારણે શરીરમાં પ્રવેશ્યા બાદ પાંચથી છ કલાકમાં કોલેરાના લક્ષણો દેખાવા લાગે છે. કોલેરા પેદા કરતા બેક્ટેરિયા ગંદા પાણી, દરિયાઈ ખોરાક અને કાચા ફળોમાં હોય છે.

તેના દ્વારા તે માનવ શરીરમાં પ્રવેશ કરે છે. ગળામાંથી આ બેક્ટેરિયા આંતરડામાં જાય છે અને પેટમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. આ રોગનો ચેપ લાગ્યા પછી જો સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. ચાલો નિષ્ણાતો પાસેથી આ રોગ વિશે વિગતવાર જાણીએ.

આ પણ વાંચો:

કોલેરાના લક્ષણો શું છે

સફદરજંગ હોસ્પિટલના ડો. દીપક સુમન જણાવે છે કે કોલેરાના બેક્ટેરિયા આંતરડામાં પ્રવેશ્યા પછી થોડા સમય પછી લક્ષણો દેખાવા લાગે છે. જુદા જુદા લોકોમાં લક્ષણોના દેખાવના સમયગાળામાં તફાવત હોઈ શકે છે. કોલેરામાં શરૂઆતમાં ઝાડા થાય છે, જે સતત ઘણા દિવસો સુધી ચાલુ રહે છે. આવી સ્થિતિમાં જો કોઈને ડાયેરિયાની સમસ્યા થઈ રહી હોય તો તેને હળવાશથી ન લેવા જોઈએ. આવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો.

ઉલટી અને વધારે તરસ લાગવી

ઉલ્ટી અને વધુ પડતી તરસ પણ આ રોગનું મોટુ લક્ષણ છે. ખાસ કરીને જો તમે એવા વિસ્તારમાં હોવ કે જ્યાં આસપાસ ખૂબ ગંદકી અથવા ગંદુ પાણી હોય તો ઉલ્ટી થવી એ કોલેરાની મોટી નિશાની હોઈ શકે છે. જો આ સમસ્યા સતત ચાલુ રહે છે તો તમારે સારવાર લેવી જોઈએ.

ઉલ્ટી સિવાય જો તમને વધુ પડતી તરસ લાગે છે તો આ પણ કોલેરાનું લક્ષણ છે. કારણ કે કોલેરાના કારણે શરીરમાંથી પાણી સુકાઈ જાય છે. જેના કારણે પાણીની અછત અને તરસ વધે છે.

કોલેરાથી આ રીતે બચો

  1. સ્વચ્છતાનું ધ્યાન રાખો
  2. હાથ સારી રીતે ધોઈને ખાવાની વસ્તુઓ ખાઓ
  3. ગંદા પાણીના સંપર્કમાં આવવાનું ટાળો
  4. લાંબા સમય સુધી પાણી ખુલ્લું હોય તો પાણી ન પીવો

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">