AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદી પાણીથી વધી શકે છે કોલેરાનો ખતરો, જાણો કોલેરાથી બચવાના ઉપાયો

ડોકટરોનું કહેવું છે કે ચેપગ્રસ્ત ખોરાક અને પાણીને કારણે વી કોલરી બેક્ટેરિયા લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જેના કારણે શરીરમાં પ્રવેશ્યા બાદ પાંચથી છ કલાકમાં કોલેરાના લક્ષણો દેખાવા લાગે છે. કોલેરા પેદા કરતા બેક્ટેરિયા ગંદા પાણી, દરિયાઈ ખોરાક અને કાચા ફળોમાં હોય છે.

વરસાદી પાણીથી વધી શકે છે કોલેરાનો ખતરો, જાણો કોલેરાથી બચવાના ઉપાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 4:38 PM
Share

Cholera Diseases: વરસાદી (Rain) વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે. જેના કારણે ઘણા પ્રકારના બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે. તેથી લોકો બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શનનો શિકાર બને છે. વરસાદમાં વી. કોલરી નામનો બેક્ટેરિયા પણ ખૂબ એક્ટિવ થઈ જાય છે. આ બેક્ટેરિયાના કારણે લોકો કોલેરાનો શિકાર બને છે. કોલેરાના ચેપ પછી શરીરમાં પાણીની અછત થાય છે. જો ટુંક સમયમાં સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે.

ડોકટરોનું કહેવું છે કે ચેપગ્રસ્ત ખોરાક અને પાણીને કારણે વી કોલરી બેક્ટેરિયા લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જેના કારણે શરીરમાં પ્રવેશ્યા બાદ પાંચથી છ કલાકમાં કોલેરાના લક્ષણો દેખાવા લાગે છે. કોલેરા પેદા કરતા બેક્ટેરિયા ગંદા પાણી, દરિયાઈ ખોરાક અને કાચા ફળોમાં હોય છે.

તેના દ્વારા તે માનવ શરીરમાં પ્રવેશ કરે છે. ગળામાંથી આ બેક્ટેરિયા આંતરડામાં જાય છે અને પેટમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. આ રોગનો ચેપ લાગ્યા પછી જો સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. ચાલો નિષ્ણાતો પાસેથી આ રોગ વિશે વિગતવાર જાણીએ.

આ પણ વાંચો:

કોલેરાના લક્ષણો શું છે

સફદરજંગ હોસ્પિટલના ડો. દીપક સુમન જણાવે છે કે કોલેરાના બેક્ટેરિયા આંતરડામાં પ્રવેશ્યા પછી થોડા સમય પછી લક્ષણો દેખાવા લાગે છે. જુદા જુદા લોકોમાં લક્ષણોના દેખાવના સમયગાળામાં તફાવત હોઈ શકે છે. કોલેરામાં શરૂઆતમાં ઝાડા થાય છે, જે સતત ઘણા દિવસો સુધી ચાલુ રહે છે. આવી સ્થિતિમાં જો કોઈને ડાયેરિયાની સમસ્યા થઈ રહી હોય તો તેને હળવાશથી ન લેવા જોઈએ. આવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો.

ઉલટી અને વધારે તરસ લાગવી

ઉલ્ટી અને વધુ પડતી તરસ પણ આ રોગનું મોટુ લક્ષણ છે. ખાસ કરીને જો તમે એવા વિસ્તારમાં હોવ કે જ્યાં આસપાસ ખૂબ ગંદકી અથવા ગંદુ પાણી હોય તો ઉલ્ટી થવી એ કોલેરાની મોટી નિશાની હોઈ શકે છે. જો આ સમસ્યા સતત ચાલુ રહે છે તો તમારે સારવાર લેવી જોઈએ.

ઉલ્ટી સિવાય જો તમને વધુ પડતી તરસ લાગે છે તો આ પણ કોલેરાનું લક્ષણ છે. કારણ કે કોલેરાના કારણે શરીરમાંથી પાણી સુકાઈ જાય છે. જેના કારણે પાણીની અછત અને તરસ વધે છે.

કોલેરાથી આ રીતે બચો

  1. સ્વચ્છતાનું ધ્યાન રાખો
  2. હાથ સારી રીતે ધોઈને ખાવાની વસ્તુઓ ખાઓ
  3. ગંદા પાણીના સંપર્કમાં આવવાનું ટાળો
  4. લાંબા સમય સુધી પાણી ખુલ્લું હોય તો પાણી ન પીવો

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">