New Year : નવા વર્ષમાં તમારે કાયમ માટે તણાવ મુક્ત રહેવુ છે ? અપનાવો આ રીત

|

Dec 22, 2022 | 2:45 PM

પ્રાણાયામનો મુખ્ય હેતુ શરીરમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોતોને શુદ્ધ કરવાનો અને શરીરના શ્વાસન તંત્રને સ્વસ્થ રાખવોનો છે. જે લોકો પ્રાણાયમ નિયમીત કરે છે તેવા લોકોના જીવનમા તનાવ અને ચિંતાના સ્તરને ઓછો કરે છે

New Year : નવા વર્ષમાં તમારે કાયમ માટે તણાવ મુક્ત રહેવુ છે ? અપનાવો આ રીત
yoga poses for stress relief

Follow us on

આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે જુદાં જુદાં ડાયટ કરવાની સાથે કસરત કરતા હોઈએ છીએ. તેવી જ રીતે મનને મજબૂત કરવા માટે યોગનો અભ્યાસ સર્વશ્રેષ્ઠ માનવામા આવે છે. જ્યારે મન શાંત હોય છે ત્યારે કોઈ પણ કઠીન નિર્ણય સરળતાથી લઈ શકાય છે. નવા વર્ષની શરુઆતમા તમે યોગ કરવાના નિયમ બનાવી શકો છો. જેનાથી તે તમારો શરીર અને મનને સ્વસ્થ રાખવામા મદદરુપ થશે. આ લેખમા આપણે જાણીશું કે કેવી રીતે યોગની મદદથી મન મજબૂત કરી શકાય છે.

ધ્યાન

ધ્યાન એક એવી પ્રક્રિયા છે જે આપણા ઋષિ-મુનીઓના સમયથી ચાલી આવેલી પ્રક્રિયા છે. જે કોઈ પણ કાર્ય કરવા માટે આપણને એકાગ્ર થવામા મદદ રુપ થાય છે. ધ્યાનની પ્રેકટીસ કરવાથી આપણા મનેને જાગ્રુત કરી શકાય છે.જ્યારે મન સ્થિર થાય છે ત્યારે આપણા હેતુઓને અને લક્ષ પ્રાપ્તી સારી રીતે કરી શકાય છે.

પ્રાણાયામ

જો તમે દરરોંજ પ્રાણાયમ કરો તો તે તમારા મનને શાંત કરવા અને એકાગ્રતામા વધારો કરે છે. પ્રાણાયામનો મુખ્ય હેતુ શરીરમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોતોને શુદ્ધ કરવાનો અને શરીરના શ્વાસન તંત્રને સ્વસ્થ રાખવોનો છે. જે લોકો પ્રાણાયમ નિયમીત કરે છે તેવા લોકોના જીવનમા તનાવ અને ચિંતાના સ્તરને ઓછો કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમારી જાતને શિસ્તમા રાખો

જો તમે તમારા જીવનમા નિયમીતા રાખો છો તો તે તમને મન શાંત રાખવામા મદદ થાય છે આમ કરવાથી તમે કોઈ પણ અવરોધ વગર તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકાય છે. આ માટે જરૂરી છે કે તમે તમારી જાતને શિસ્ત આપો. તમે તમારી દિનચર્યાના તમામ કાર્યોની યાદી બનાવો અને તેને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો જેથી તે લક્ષ્ય મેળવવામા મદદરુપ સાબિત થશે.

સકારાત્મક બનો

હકારાત્મક બનીને તમે તમારુ જીવન બદલી શકો છો. આ માટે સૌથી જરૂરી છે કે તમે તમારી આસપાસના વાતાવરણને ખુશનુમા બનાવાએ જેના કારણે તમારી નકારાત્મકતાને તમારા મન પર હાવી થવા ન દો. આ સાથે તમારે તમારી આદતોને સમયની સાથે બદલતા રહેવું જોઈએ અને સતત સકારાત્મક રહેવુ જોઈએ.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.

Next Article