જીવનદાન આપતું પ્રવાહી એટલે કે પાણી ક્યારેક જીવલેણ પણ હોઈ શકે છે. વિશ્વમાં લગભગ 3.1% મૃત્યુ અશુદ્ધ અને પાણીની નબળી ગુણવત્તાને કારણે થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો અંદાજ છે કે વિશ્વવ્યાપી 80% રોગો દૂષિત પાણીના લીધે થાય છે.
પાણીજન્ય રોગો
જ્યારે industrial કચરો, માનવ કચરો, પશુઓના કચરા, સફાઈ ન કરાયેલ ગટર, રાસાયણિક પ્રદૂષણ વગેરેથી પાણી પ્રદૂષિત થાય છે ત્યારે પાણીની ગુણવત્તા નબળી બની જાય છે. આવું પ્રદૂષિત પાણી સાથે પીવું અથવા રસોઇ કરવાથી પાણીજન્ય રોગો થાય છે અને એમીએબિઆસિસ, ગિઆર્ડિઆસિસ અને ટોકસોપ્લાઓસીસ જેવા ચેપ થાય છે. .
દૂષિત પાણી હેપેટાઇટિસ એ અને ઇ જેવા વાઇરસ લાવી શકે છે. પરિણામે કોલેરા અને ટાઇફોઇડ તાવ જેવા ખતરનાક રોગો તેમજ અન્ય પાણીજન્ય રોગોમાં ઝાડા, મરડો, પોલિયો અને મેનિન્જાઇટિસ થઈ શકે છે.
ગ્રામીણ વસ્તીને પાણીજન્ય બીમારીઓનું જોખમ વધારે છે. પાણીજન્ય બીમારી કોઈને પણ, કોઈપણ જગ્યાએ અસર કરી શકે છે. શિશુઓ, નાના બાળકો, વૃદ્ધો અને ડાયાબિટીઝના દર્દીઓ, હૃદયરોગના લાંબા ગાળાના રોગો, કિડની વગેરેનું જોખમ તે વધારે છે.
પાણીજન્ય રોગથી બચવા શું કરશો ?
આ પણ વાંચો: Corona: કઈ બીમારી ધરાવતા દર્દીઓને બીજી લહેરમાં થયો સૌથી વધુ કોરોના? જાણો ચોંકાવનારો રિપોર્ટ
આ પણ વાંચો: Health Tips : સામાન્ય બનતી જાય છે પથરીની સમસ્યા શું તમે પણ છો પરેશાન ? જાણો આ ઈલાજ