ઉંમરની સાથે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ વધવા લાગે છે. તેમાંથી એક કિડની પણ છે. બદલાતી જીવનશૈલીને કારણે કિડની પર ખરાબ અસર પડી રહી છે. કિડનીને સ્વસ્થ (Kidney Stone) રાખવા માટે સારી જીવનશૈલી જરૂરી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કિડનીને સ્વસ્થ રાખવા માટે કયા ઉપાયો કરવા જોઈએ. કિડનીને સ્વસ્થ રાખવા માટે કેવા શાકભાજીનું સેવન કરવું જોઈએ અને કઈ શાકભાજી(Vegetables) ટાળવી જોઈએ? ચાલો કહીએ.
પથરી થવી એ આજકાલ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. ખોટા ખાન પાન અને જરૂરિયાત કરતા ઓછું પાણી પીવું પથરી થવાનું મુખ્ય કારણ છે. આ વાત જાણવા છતાંય આપણે આપણી કિડની અને તેની સુરક્ષા અંગે બેજવાબદાર રહીએ છીએ.
આવામાં યુરિન પાસ વખતે દુઃખાવો થાય છે. આ સમસ્યાથી બચવા માટે શરીર તરફથી મળતા નાના-નાના સંકેતોને એળખવા ખૂબ જરૂરી બની જાય છે. કિડની સ્ટોન શેના કારણે થાય છે અને તેના ઉપાય જાણવા તમારા માટે ખૂબ જરૂરી છે.-પીઠ કે પેટ પાસે અસહ્ય દુઃખાવો– અવારનવાર વધી જતો દુઃખાવો-પેશાબમાં લોહી પડવું– ઉલ્ટી થવી કે સતત ઉબકા આવવા– પેશાબમાં બળતરાનો અહેસાસલ શું કારણ હોઈ શકે?– તમારા પરિવારમાં કિડની સ્ટોનની હિસ્ટ્રી હોય– તમે સ્થૂળતાનો શિકાર હોવ– તમારે બ્લડ પ્રેશર વધારે રહેતુ હોય– તમારા ખાવાપીવામાં પ્રોટીન અને સોડિયમ વધારે અને કેલ્શિયમ ઓછું હોય– તમારી દિનચર્યામાં કસરતની ગેરહાજરીકિડની સ્ટોન થાય તો તમારે નીચે જણાવેલી ચીજોનું સેવન વધારી દેવું જોઈએ.
આજકાલ ઘણા લોકો કિડનીની પથરીથી પરેશાન છે. તેનો ઉપચાર દવાઓ અને યોગ્ય આહારથી કરી શકાય છે. પરંતુ જો પિત્તાશયમાં પથરી હોય તો સર્જરી એ એકમાત્ર વિકલ્પ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કિડની સ્ટોનના દર્દીઓએ કેલ્શિયમથી ભરપૂર શાકભાજી ખાવા જોઈએ. આ સાથે, તમે આહારમાં એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આ શાકભાજી કિડનીમાં પથરી બનતા અટકાવે છે.
બ્રોકોલી
કેપ્સીકમ
કેળા
વટાણા અને કઠોળ
લીંબુ
કિડની સ્ટોનના દર્દીઓએ એવી શાકભાજી બિલકુલ ન ખાવી જોઈએ જેમાં બીજ હોય છે. આ સિવાય એવી વસ્તુઓના સેવનથી બચવું જોઈએ જેમાં સોડિયમની માત્રા વધુ હોય. તેમજ કોલ્ડ-ડ્રિંક્સ, ચોકલેટ, ચા જેવી વસ્તુઓ ખાવી જોખમી બની શકે છે. ભૂલથી પણ આ શાકભાજીને ડાયટમાં સામેલ ન કરો.
રીંગણા
પાલક
ટામેટા
કાકડી
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)