AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં કેટલું પાણી પીવું જોઈએ, શું ઓછું પાણી પીવાથી બીમારી થઈ શકે છે?

સામાન્ય રીતે લોકો શિયાળામાં ઓછું પાણી પીવાનું શરૂ કરે છે, દરેક વ્યક્તિ એવું વિચારે છે કે શિયાળામાં આપણા શરીરને પાણીની જરૂર ઓછી હોય છે, પરંતુ તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શરીરને હાઇડ્રેટ રાખવા માટે આપણા શરીરને દરરોજ 8-10 ગ્લાસ પાણીની જરૂર પડે છે. શા માટે ખબર

શિયાળામાં કેટલું પાણી પીવું જોઈએ, શું ઓછું પાણી પીવાથી બીમારી થઈ શકે છે?
| Updated on: Nov 24, 2023 | 7:18 AM
Share

શિયાળાની શરુઆત થઈ ચૂકી છે. જો આ ઋતુમાં કોઈ વસ્તુ પર સૌથી વધારે અસર થાય છે તો તે છે પાણીપીવાની આપણી રીત. હંમેશા લોકો વિચારે છે કે, આપણા શરીરને શિયાળામાં પાણીની જરુર ઓછી હોય છે પરંતુ આવું નથી. ઠંડા વાતાવરણના કારણે આ ઋતુમાં પાણી પીવાની તરસ ઓછી લાગે છે પરંતુ આપણા શરીરને પાણીની જરુર એટલી જ હોય છે જેટલી ઉનાળામાં હોય છે. જો કે, પાણીની તરસ ઘણી બાબતો પર નિર્ભર છે.

આસપાસનું વાતાવરણ

આપણી તરસને આપણા આસપાસના વાતાવરણ સાથે સીધો સંબંધ છે કારણ કે, ગરમ પ્રદેશોમાં લોકોને પાણી પીવાની વધુ આવશ્યકતા છે. તો ઠંડા પ્રદેશોમાં ઓછું પાણી. કારણ કે, ગરમી આપણા શરીરમાંથી પરસેવામાં બહાર નીકળી જાય છે. એટલા માટે આપણી બોડીને હાઈડ્રેટ રાખવા માટે આપણે વધુ પાણી પીવું જોઈએ. શિયાળામાં આવું જોવા મળતું નથી.

કામનો પ્રકાર

કામનો પ્રકાર તમારી તરસ પર અસર કરે છે. જો તમે વધુ શારિરીક શ્રમ કરો છો તો તમારે વધારે પાણી પીવાની આવશ્યકતા હોય છે જો તમારે કામ વધારે મહેનત વાળું નથી તો તેમજ તડકાંનું કામ નથી તો તમારે પાણીની જરુરત ઓછી પડે છે.

ઉંમર

ઉંમરનો અને તરસનો સીધો સંબંધ છે કારણ કે, બાળકો ભાગદોડ કરતા હોય છે અને શારીરિક પ્રવુતિ વધી જાય છે તેથી પાણી પીવાની જરુર વધારે પડે છે. તો ઉંમર વધવાની સાથે સાથે તરસ ઓછી લાગે છે.

મેડિકલ હિસ્ટ્રી શું કહે છે

ઘણા પ્રકારના રોગોમાં દર્દીને વધુ પાણીની જરૂર પડે છે, ગરમ દવાઓના સેવનથી તેનું પાણીનું સેવન વધી જાય છે,આપણા શરીરને દરરોજ 8-10 ગ્લાસ પ્રવાહીની જરૂર હોય છે.

તમે પાણી, રસ, સૂપ, દૂધ, ચા, નારિયેળ પાણી અને ફળો પણ લઈ શકો છો.

શરીરને પાણીની કેમ જરુર છે ?

શરીરમાં પાણીની ઉણપથી ડિહાઈડ્રેશન થઈ શકે છે, જેના કારણે ત્વચાની સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

(નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">