AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HELATH : ડાયાબિટીઝના દર્દીઓ તરબૂચ ખાઈ શકે કે નહીં?, જાણો આ સવાલનો જવાબ

HELATH : ઉનાળાની ઋતુની શરૂઆતથી તરબૂચ (Watermelon) બજારમાં આવવાનું શરૂ થાય છે અને વરસાદની ઋતુ સુધી બજારમાં મળતા હોય છે. પણ તરબૂચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે કે નહીં?

HELATH : ડાયાબિટીઝના દર્દીઓ તરબૂચ ખાઈ શકે કે નહીં?, જાણો આ સવાલનો જવાબ
સાંકેતિક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 11:35 PM
Share

HELATH : તરબૂચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓ તરબૂચ (Watermelon) ખાઈ શકે છે કે નહીં? દરેક વ્યક્તિએ ઋતુ અનુસાર ફળનું સેવન કરવું જોઇએ. દરેક ઋતુ અનુસાર ફળના સ્વાદ અને ફાયદા જુદા હોય છે. પરંતુ આવા ઘણા ફળો છે જે ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક હોઈ શકે છે.કેટલાક એવા ફળ છે જેના વિશે ડાયાબિટીઝના દર્દીઓના મગજમાં મૂંઝવણ ઉભી થાય છે. તરબૂચ આવા ફાળોમાંથી એક છે.

ડાયાબિટીઝ અને તરબૂચ ઉનાળાની ઋતુની શરૂઆતથી તરબૂચ (Watermelon) બજારમાં આવવાનું શરૂ થાય છે અને વરસાદની ઋતુ સુધી બજારમાં મળતા હોય છે. પણ તરબૂચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે કે નહીં?તરબૂચ અને ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓમાં ઘણા સવાલો ઉભા થાય છે. પ્રશ્ન એ છે કે શું તરબૂચનું સેવન તેમના માટે સલામત છે. આજે અમે તમને આવા જ એક ફળ વિશે જણાવીશું.

ડાયાબિટીસના દર્દીએ તરબૂચનું સેવન કરવું જોઇએ કે નહીં? ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓએ મીઠા ફળોનું સેવન કરવાનું ટાળવું જોઈએ.તેનું સેવન કરવાથી બ્લડમાં સુગરનું પ્રમાણ વધે છે. હવે સવાલ એ આવે છે કે ડાયાબિટીઝના દર્દી માટે તડબૂચ (Watermelon) નું સેવન કરવું સલામત છે કે નહીં.ડાયાબિટીસના દર્દીએ એવા ફળોનોનું સેવન કરવું જોઈએ જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (Glycemic index) ઓછો હોય.

તરબૂચ વિશે વાત કરીએ તો તેનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ 72 ની આસપાસ છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશનના સંશોધનકારો અનુસાર ડાયાબિટીસના દર્દીઓ તરબૂચનું મર્યાદિત માત્રામાં સેવન કરી શકે છે.જો કે તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે વધારે પ્રમાણમાં તેનું સેવન કરવું તેમના માટે હાનિકારક હોઈ શકે છે.ડાયાબિટીસ (Diabetes) ના દર્દી અઠવાડિયામાં એક કે બે વાર તરબૂચ ખાઈ શકે છે. પરંતુ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

તરબૂચમાં આ તત્વો હોય છે તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. આ સાથે તેમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 6, ફાઇબર, આયર્ન અને કેલ્શિયમ જેવા ઘણા પોષકતત્વો હોય છે. આ બધા તત્વો સ્વાસ્થ્ય માટે સારા છે અને શરીરને ઠંડક અને તાજગી પણ આપે છે.

આ પણ વાંચો : ઉંમર 13 વર્ષ, શરીરનું વજન 140 કિલોગ્રામ, સૌરાષ્ટ્રમાં બાળકોમાં મેદસ્વીતાનો ત્રીજો કેસ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">