Heart Problem : નબળી જીવનશૈલીના કારણે પણ વધી રહ્યું છે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ

ડાયાબિટીસ ઘણા કિસ્સાઓમાં આનુવંશિક પણ હોય છે, પરંતુ ખાવાની ખરાબ આદતો અને જીવનશૈલીમાં બદલાવના કારણે આ રોગ થવાનું જોખમ સૌથી વધુ હોય છે.

Heart Problem : નબળી જીવનશૈલીના કારણે પણ વધી રહ્યું છે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ
The risk of heart related diseases is also increasing due to poor lifestyle(Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 8:10 AM

વધતી જતી ઉંમર(Age ) અને ખરાબ જીવનશૈલીને (Lifestyle )કારણે અનેક બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. ઘણા કિસ્સાઓમાં, અમુક રોગ આનુવંશિક પણ હોય છે. એવું કહેવાય છે કે હાર્ટ (Heart ) એટેક અને કેન્સર જેવી બીમારીઓ પણ જીન્સને કારણે થાય છે, પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ ગંભીર બીમારીઓ થવાનું મુખ્ય કારણ નબળી જીવનશૈલી છે. તેની સાથે ખાવા-પીવાની રીત પણ રોગોને પ્રોત્સાહન આપે છે.

સેન્ટર ફોર કોમ્પ્યુટેશન બાયોલોજીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે 50 વર્ષની ઉંમર પછી મોટાભાગની બીમારીઓ ખરાબ જીવનશૈલીને કારણે થાય છે. આ ઉંમર પછી જીનેટિક્સના કારણે રોગ થવાનું જોખમ ઘટી જાય છે, પરંતુ વ્યક્તિનો આહાર કેવો હોય છે. તે કેવા વાતાવરણમાં રહે છે, આ બધું રોગ થવાનું મોટું માપ છે. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ 1 હજાર લોકોનો અભ્યાસ કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે વધતી ઉંમરની સાથે જનીનથી થતા રોગોનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. પરંતુ જે લોકોની જીવનશૈલી ખરાબ હોય છે તેઓ ઘણી બીમારીઓનો શિકાર બની શકે છે.

હાર્ટ એટેકનું વધુ જોખમ

જો કે આજકાલ લોકોને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવે છે, પરંતુ ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે હ્રદયરોગનો ખતરો સૌથી વધુ રહે છે. આપણે જે પ્રકારનો ખોરાક ખાઈએ છીએ તે હૃદયના કાર્યને પણ અસર કરે છે. ખોરાકમાં વધુ પડતી ચરબી હૃદય રોગનું જોખમ વધારે છે. આ સિવાય ખરાબ જીવનશૈલી પણ કેન્સર જેવી ખતરનાક બીમારીનું એક મોટું કારણ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ડાયાબિટીસનું જોખમ

ઉંમર સાથે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ પણ વધે છે. ડાયાબિટીસ ઘણા કિસ્સાઓમાં આનુવંશિક પણ હોય છે, પરંતુ ખાવાની ખરાબ આદતો અને જીવનશૈલીમાં બદલાવના કારણે આ રોગ થવાનું જોખમ સૌથી વધુ હોય છે. આ સિવાય રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે હવે 50 વર્ષની ઉંમર પછી અલ્ઝાઈમર અને અન્ય ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનું જોખમ પણ ઘણું વધી જાય છે.

જીવનશૈલી આ રીતે સુધારો

  1. ઊંઘની પેટર્ન જાળવી રાખો અને ઊંઘ અને જાગવાનો સમય સેટ કરો
  2. ખોરાકમાં ચરબીનું પ્રમાણ ઓછું કરો અને પ્રોટીન અને વિટામિન્સ લો
  3. દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરો
  4. સવારે ઉઠો અને ધ્યાન કરો
  5. દિવસમાં ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવો

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">