Health: લોકોમાં પ્રોટીનની ઉણપ માટે મુખ્ય આ ચાર કારણો છે જવાબદાર

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયો એ વાતથી જાણકાર નથી કે તેમના આહારમાં દરરોજ કેટલું પ્રોટીન હોવું જોઈએ. માહિતીના અભાવને કારણે કામ કરતી મહિલાઓ અને ગૃહિણીઓમાં 70-80% પ્રોટીનની ઉણપ જોવા મળે છે.

Health: લોકોમાં પ્રોટીનની ઉણપ માટે મુખ્ય આ ચાર કારણો છે જવાબદાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:29 PM

પ્રોટીન (Protein)ની ઉણપના કારણે લોકોમાં થાક, નબળાઈ, કામ કરવામાં મુશ્કેલી સહિત અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. નિષ્ણાતો નિયમિતપણે પ્રોટીન લેવાની ભલામણ કરે છે. તેનાથી અનેક રોગો સામે લડી શકાય છે અને રોગપ્રતિકારક શક્તિ (Immune System) પણ વધે છે. ICMR અનુસાર દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 48 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે, પરંતુ ભારતીયોના આહારમાં પ્રોટીનની માત્રા આ માત્રા કરતા ઘણી ઓછી છે. ખોરાકમાં પ્રોટીનની ઉણપના મુખ્ય ચાર કારણો છે. ચાલો તમને જણાવીએ કે આ કારણો શું છે અને તમે તમારા આહારમાં પ્રોટીનને કેવી રીતે સામેલ કરી શકો છો.

બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ)માં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયોના ખોરાકમાં વધુ કેલેરી હોય છે. લોકો ખોરાકમાં જંક ફૂડ અને ઓઈલી ફૂડ વધુ લે છે. શાકાહારી લોકોને લાગે છે કે તેમની પાસે પ્રોટીનની વધુ પસંદગી નથી. દેશના લોકોમાં પ્રોટીન અંગે જાગૃતિનો પણ અભાવ છે. લોકોને એ પણ ખબર નથી હોતી કે કયા ખોરાકમાં પ્રોટીન હોય છે અને કયામાં ચરબી કે કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. મોટાભાગના ભારતીયો એ જાણતા નથી કે રોજિંદા આહારમાં કેટલું પ્રોટીન લેવું જોઈએ. કામ કરતી મહિલાઓ અને ગૃહિણીઓમાં 70-80% સુધી પ્રોટીનની ઉણપ હોય છે.

દેશના લોકો ભોજનમાં દાળનો ઓછો ઉપયોગ કરે છે અને ઘઉં કે ચોખા વધુ લે છે. જ્યારે કઠોળ પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આહારશાસ્ત્રીઓનું કહેવું છે કે શાકાહારી વ્યક્તિના આહારમાં કઠોળ હોવું જરૂરી છે. ચોથું કારણ એ છે કે લોકો માને છે કે પ્રોટીન ફક્ત નોન-વેજ ફૂડમાં જ હોય ​​છે, જ્યારે એવું નથી. પનીર, સૂકા ફળો, દૂધ, કઠોળ અને લીલા શાકભાજી અને મગફળીમાં પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. આ વસ્તુઓમાં વ્યક્તિની રોજિંદી જરૂરિયાત મુજબ પૂરતું પ્રોટીન હોય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વધુ પડતું પ્રોટીન લેવું પણ નુકસાનકારક છે

પ્રોટીન ન લેવાના ઘણા ગેરફાયદા છે, પરંતુ વધુ પ્રોટીન લેવું પણ નુકસાનકારક છે. વધુ પડતા પ્રોટીનનું સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. જો કોઈ સામાન્ય પુખ્ત વ્યક્તિ દરરોજ 60 ગ્રામથી વધુ પ્રોટીન લે છે, તો તેને પણ લીવર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો- Health: તમે દવાના પ્રિસ્ક્રિપ્શન પર Rx લખેલું જોયું જ હશે, પરંતુ તેનો અર્થ શું છે તે જાણો

આ પણ વાંચો Health: આંખોમાં દુખાવો હોય તો જરૂરી નથી કે આંખોનું તેજ ઓછુ થયુ હોય, તે હાઈપરથાઈરોઈડિઝમનું પણ લક્ષણ છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">