Fruits : જાંબુનું જ્યૂસ પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થશે દૂર, સુગર લેવલ પણ રહેશે કંટ્રોલમાં

જાંબુમાં(Jamun ) પોષક તત્ત્વો અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

Fruits : જાંબુનું જ્યૂસ પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થશે દૂર, સુગર લેવલ પણ રહેશે કંટ્રોલમાં
Jamun juice benefits (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 8:09 AM

જાબુંનું (Jamun )  ફળ ઉનાળામાં થાય છે. આ ફળ ખૂબ જ સ્વાદિષ્ટ (Tasty ) હોય છે. તેનો સ્વાદ મીઠો (Sweet ) હોય છે. આ ફળ વાદળી અને જાંબલી રંગનું હોય છે. જામુન અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. જામુનમાં વિટામિન C, વિટામિન B, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન B6, રિબોફ્લેવિન અને નિયાસિન હોય છે. જાંબુ ના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. હાઇડ્રેટેડ રહેવા માટે તમે ઉનાળામાં જામુનના રસનું સેવન કરી શકો છો. આવો જાણીએ ઉનાળામાં જાંબુના સેવન કરવાના ફાયદા.

હિમોગ્લોબિન વધારે છે

જાંબુમાં  મિનરલ્સ, વિટામિન સી અને આયર્ન હોય છે. તે હિમોગ્લોબિન વધારે છે. તે લોહીને શુદ્ધ કરે છે. આયર્નની ઉણપ અથવા એનિમિયાથી પીડિત લોકો માટે જાંબુ ખૂબ જ ફાયદાકારક છે.

જાંબુમાં એસ્ટ્રિજન્ટ ગુણ હોય છે

જામુનમાં એસ્ટ્રિજન્ટ ગુણ હોય છે. તે ખીલથી છુટકારો મેળવવાનું કામ કરે છે. તૈલી ત્વચાવાળા લોકો માટે જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. તે તમારી ત્વચાને તાજી રાખવામાં અને વધારાના તેલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આંખો માટે ફાયદાકારક

જાંબુમાં વિટામીન A અને C હોય છે. તે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

જાંબુમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી બીમારીઓને દૂર રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે.

પેઢા અને દાંતને મજબૂત બનાવે છે

જાંબુ તમારા પેઢા અને દાંત માટે ફાયદાકારક છે. જામુનના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેઓનો ઉપયોગ પેઢામાંથી રક્તસ્ત્રાવ રોકવા માટે થઈ શકે છે. આ માટે, પાંદડાને સૂકવી દો. હવે આ સૂકા પાંદડાને પાવડરના રૂપમાં વાપરી શકાય છે. તે પેઢાંમાંથી રક્તસ્રાવ અને ચેપને રોકવામાં મદદ કરે છે. તેઓ મોઢાના અલ્સરની સારવાર માટે પણ કામ કરે છે.

ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક

જાંબુમાં પોષક તત્ત્વો અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">