રાજ્યમાં અત્યારે ગરમી(Temperature)તેની ચરમસીમાએ છે ત્યારે ઝાડા ઉલટીના (diarrhea)કેસમાં તેમજ હીટ સ્ટ્રોક (Heat stroke) ના કેસમાં વધારો થયો છે. ત્યારે સર્ગભા સ્ત્રીઓ, બાળકો, તેમજ વૃદ્ધોએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. મે મહિનાના મધ્યમાં જ ગરમી વધતા ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે.સાથે જ ટાઇફોઇડને કમળાના કેસમાં પણ વધારો થયો છે.
હાલમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના 1000થી 1140-45 જેટલા કેસ આવી રહ્યા છે. જેમાં બાળકોનું પ્રમાણ વધારે છે. ગરમીનું પ્રમાણ વધતા આ પ્રકારની મુશ્કેલીઓ વધી છે ત્યારે કેવી રીતે કાળજી રાખવી તે અંગે સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. ભગીરથ સોલંકીએ ખાસ માહિતી આપી હતી.
લૂ લાગવી અથવા તો ઝાડા ઉલટી તાપમાં નીકળવાને કારણે વધારે થાય છે ત્યારે સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. ભગીરથ સોલંકીએ જણાવ્યું હતું કે પ્રાથમિકતા એ જ રાખો કે તમે ગરમીના સમયમાં બહાર જ ન નીકળો, પરંતુ નોકરિયાત વર્ગને અન્ય લોકોને કોઈને કોઈ કારણસર બહાર નીકળવાનું થતું જ હોય છે ત્યારે તેમણે તો કેટલીક બાબતો અનિવાર્યપણે કરવી જ જોઈએ.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)