ચટાકો લઈને ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર બીમારી! જાણો લક્ષણ અને ઉપાયો

ચોમાસામાં ફૂડ પોઇઝનિંગની સમસ્યા સામાન્ય છે. થોડી બેદરકારી આ સ્થિતિને ગંભીર બનાવી શકે છે. તેથી જો અહીં જણાવેલ લક્ષણો તમને જણાય તો તરત જ આ ઘરેલું ઉપાય અજમાવો, જેથી સમસ્યાને ગંભીર બનતા અટકાવી શકાય.

ચટાકો લઈને ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર બીમારી! જાણો લક્ષણ અને ઉપાયો
Sign and home remedies of food poisoning and stomach illness
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 12:26 PM

ચોમાસાની ઋતુ તેની સાથે અનેક રોગો લઈને આવે છે. થોડી બેદરકારી ફૂડ પોઇઝનિંગ તરફ દોરી શકે છે. હકીકતમાં ચોમાસામાં રોગચાળો વધુ જોવા મળે છે અને આવી સ્થિતિમાં યોગ્ય આહાર લેવાથી શરીર તેને પચાવી નથી શકતું. આપણું શરીર વધુ તેલયુક્ત અને મસાલેદાર ચીજો યોગ્ય રીતે પચાવવામાં સક્ષમ નથી.

આ સિવાય ઘણી વખત બહારનું ખાવાનું પણ આ સમસ્યાનું કારણ બને છે કારણ કે બહારનું ફૂડ માત્ર ભારે જ નહીં, પણ તે આરોગ્યપ્રદ પણ નથી હોતું. આવી સ્થિતિમાં લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે, જેને આપણે ફૂડ પોઇઝનિંગ તરીકે ઓળખીએ છીએ. આ રોગ ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી તેમની અવગણના ન કરીને તરત જ આ ઘરેલું ઉપાયો અજમાવવા જોઈએ.

શું છે લક્ષણો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ઉલટી, પેટમાં દુખાવો, લૂઝ મોશન, ઉબકા, વધુ નબળાઇ, માથાનો દુખાવો, ચક્કર અને વધુ પડતી તરસ વગેરે તેના લક્ષણો છે. આ લક્ષણો જોતાંની સાથે જ સાવધ રહો અને અહીં જણાવેલ ઉપાયો અજમાવો.

અપનાવો આ ઉપાય

1. શરીરમાં પાણીનો અભાવ જરા પણ ન થવા દો. પુષ્કળ પાણી પીવો, નાળિયેર પાણી અને પ્રવાહી આહાર લો.

2. પેટને આરામ આપો અને ખીચડી જેવા હળવા આહાર લો.

3. તુલસીના પાંદડા ઉકાળો. તેનું પાણી મધમાં ભેળવો અને પીવો.

4. ફૂડ પોઇઝનિંગ દરમિયાન કેળા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમાં હાજર પોટેશિયમ શરીરને ઝડપથી રીકવર કરે છે.

5. જો લૂઝ મોશન થઈ જાય છે, તો તમે ખાંડ-મીઠું અને લીંબુનું પીણું બનાવીને શકો છો. જેને ઇલેક્ટ્રોલનું પાણી કહેવામાં આવે છે.

6. લીંબુનો રસ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદગાર છે. તેના રસમાં બ્લેક સોલ્ટ ઉમેરીને તેનું સેવન કરો.

7. ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો, ત્યારબાદ તે પાણીને ગાળીને પીવો. આનાથી ઘણી રાહત મળે છે.

8. જો સમસ્યા વધે છે, તો તરત જ નિષ્ણાતનો સંપર્ક કરો, નહીં તો આ સમસ્યા ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે.

આ વસ્તુઓ ધ્યાનમાં રાખો

1. રસોઈ બનાવતી વખતે સ્વચ્છતાની કાળજી લો. શાકભાજીને સારી રીતે ધોઈ લો અને તેનો ઉપયોગ કરો.

2. ઘણા દિવસો સુધી ફ્રીજમાં ખોરાક ન રાખશો. એક દિવસમાં જ ખોરાકનો વપરાસ કરો.

3. કાચા માંસને ફ્રિજમાં રાખતી વખતે તેને રાંધેલા ખોરાકથી દૂર રાખો નહીં તો તેમાં બેક્ટેરિયા વધી શકે છે.

4. સુકા મસાલા, ચણાનો લોટ, અન્ય લોટ વગેરે હવાના ચુસ્ત કન્ટેનરમાં રાખો.

આ પણ વાંચો: Health Tips: કયુ દૂધ છે આરોગ્ય માટે વધુ ફાયદાકારક? ગરમ દૂધ કે ઠંડુ દૂધ ?

આ પણ વાંચો: Health Tips: પુરુષોનું સ્વાસ્થ્ય: 40 વર્ષના થયા પછી પુરુષોએ સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખવા જેવી બાબતો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">