આંખોની સમસ્યા નથી સામાન્ય: ઘટવા લાગ્યું છે આંખોનું તેજ, તો આપવાનો આ 6 ઘરેલુ ઉપાય

Eyesight Home Remedies: જો તમે નબળી દૃષ્ટિથી પરેશાન છો, તો કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી તમે આંખોને સ્વસ્થ રાખી શકો છો. ચાલો જાણીએ આ ઉપાય શું છે.

આંખોની સમસ્યા નથી સામાન્ય: ઘટવા લાગ્યું છે આંખોનું તેજ, તો આપવાનો આ 6 ઘરેલુ ઉપાય
Eyesight Home Remedies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 8:33 AM

કોરોનાના આ સમયમાં ઘણાબધા લોકો ઘરેથી લેપટોપમાં કામ કરે છે. એટલું જ નહીં બાળકો પણ ઘરે બેઠા શિક્ષણ મેળવી રહ્યા છે. આ માટે તેમણે સતત સ્ક્રીન ફેસ કરવી પડે છે. જેની અસર સીધી આંખો પર પડી રહી છે. ચિંતાની વાત એ છે કે આપણે નાની સમસ્યાને ઇગ્નોર કરી દઈએ છીએ પરંતુ આગળ જતા આ સમસ્યા વિકરાળ સ્વરૂપ લઇ લેતી હોય છે. આવામાં ચાલો તમને જણાવીએ કેટલાક ઘરેલું ઉપાય કે જેનાથી તમારી આંખોની સમસ્યામાં રાહત મળશે.

પલાળેલી બદામ ખાઓ

પલાળેલી બદામનું સેવન આંખોની દ્રષ્ટિ માટે સારું છે. આ માટે તમે દરરોજ રાત્રે 7 થી 8 બદામ પલાળીને રાખી શકો છો. બીજા દિવસે સવારે બદામની પેસ્ટ બનાવો. અને આ પેસ્ટને પાણીમાં બેલાવીને ખાઈ લો. તેનાથી આંખોની સમસ્યામાંથી મુક્તિ મળે છે. બદામ મગજને પણ તેજ બનાવે છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

કિસમિસ અને અંજીર ખાઓ

નબળી દ્રષ્ટિની સમસ્યા માટે તમે પલાળેલા કિસમિસ અને અંજીરનું સેવન કરી શકો છો. આ માટે, 2 અંજીર અને 10 થી 15 કિસમિસને રાત્રે પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે તમે ખાલી પેટ તેનું સેવન કરી શકો છો.

આંખોની કસરત કરો

આંખોને સ્વસ્થ રાખવા માટે આંખની કસરતો કરવી જરૂરી છે. તે તનાવમાં પણ રાહત આપે છે. આ માટે તમારા બંને હાથને એક સાથે ઘસો અને બાદમાં તેને આંખો પર રાખો. થોડા સમય પછી, હાથ લઇ લો અને ધીમે ધીમે આંખો ખોલો. આ સિવાય, તમે આંખની કીકીને પણ ડાબેથી જમણે, તેમજ ઉપર અને નીચે ફેરવી શકો છો.

બદામ, વરિયાળી અને સાકારનું મિશ્રણ

આ ઘરેલું ઉપાય આંખોની રોશની માટે ખૂબ ફાયદાકારક છે. આ માટે તમારે બદામ, વરિયાળીનાં દાણા અને સાકારની જરૂર પડશે. ત્રણેયને એક સાથે વાટી લો. તૈયાર થયેલું આ ચૂરણ રાત્રે સૂતા પહેલા એક ચમચી દૂધ સાથે લો. એક અઠવાડિયા સુધી તેનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ સુધારવા માંડશે.

દેશી ઘી

દેશી ઘીનું આયુર્વેદમાં ઘણું મહત્વ છે. તે આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ઘીમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. તેઓ દૃષ્ટિ સુધારે છે. તમે તેને આંખો પર લગાવીને દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે આંખો પર ઘી લગાવવું પડશે અને થોડીવાર માટે તેનું મસાજ કરવું પડશે.

આમળા

દરરોજ સવારે એક ચમચી આમળાનો રસ પીવાથી આંખોની રોશની સુધરે છે. આમળા આંખોની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Monsoon Health Tips: ચોમાસામાં આ 5 ખાદ્ય વસ્તુઓથી રહો દુર, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: Health Tips: પાંચનશક્તિ સાથે જોડાયેલી આ પાંચ 5 અફવાઓ પર તમે પણ કરો છો વિશ્વાસ? જાણો શું છે સત્ય

Latest News Updates

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
g clip-path="url(#clip0_868_265)">