Diabetes: નાસ્તો કરવામાં કરેલી આ ભૂલ ડાયાબિટીસના દર્દીઓને પડી શકે છે ભારે, જાણો રિસર્ચ

નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જે લોકો ચોક્કસ સમયે આહાર લે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા નહિવત જોવા મળી છે.

Diabetes: નાસ્તો કરવામાં કરેલી આ ભૂલ ડાયાબિટીસના દર્દીઓને પડી શકે છે ભારે, જાણો રિસર્ચ
Proper time to get breakfast for Diabetes patients
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 6:25 PM

તંદુરસ્ત જીવનશૈલી જાળવવી દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ મહત્વનું છે કારણ કે ખોરાકના સેવનને નિયંત્રિત કર્યા પછી જ સુગર લેવલને તેઓ નિયંત્રિત કરી શકાય છે. આજના સમયમાં ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. જે લોકો માટે મોટી સમસ્યા બની છે. આ રોગ સંપૂર્ણ રીતે મટાડી શકાતો નથી, પરંતુ આહાર પર ધ્યાન આપીને સુગરનું સ્તર નિયંત્રિત કરી શકાય છે.

નિષ્ણાતોના મતે ડાયાબિટીસનું કારણ નબળી જીવનશૈલી, વૃદ્ધત્વ, સ્થૂળતા અને તણાવ હોઈ શકે છે. આને કારણે, હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ વધે છે. ખાંડને નિયંત્રિત કરવા માટે, તમે આહારમાં ફળો, લીલા શાકભાજી, આખા અનાજનો સમાવેશ કરી શકો છો. તમને જણાવી દઈએ કે નવા અભ્યાસમાં, જે લોકો ચોક્કસ સમયે આહાર લે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા નહિવત જોવા મળી છે. આ અભ્યાસ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં એન્ડોક્રાઇન સોસાયટીની વાર્ષિક બેઠકમાં તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

કયા સમયે નાસ્તો કરવો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

શરીર પર ભોજનના સમયની અસરને લઈને 10,575 લોકો પર સર્વે કરવામાં આવ્યો. આ અભ્યાસમાં લોકોના આહારના ડેટા, ઉપવાસ ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સંશોધકોને જાણવા મળ્યું છે કે નાસ્તો કરવાનો સમય બ્લડ સુગર પર નોંધપાત્ર અસર કરે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર સવારે 8.30 પહેલા નાસ્તો કરનારાઓમાં મોડી સવારે નાસ્તો કરનારાઓની સરખામણીમાં બ્લડ સુગર લેવલ અને ઇન્સ્યુલિન પ્રતિકાર ઘણો ઓછો જોવા મળ્યો હતો. પૂર્વ-ડાયાબિટીસ અને ડાયાબિટીસના દર્દીઓમાં, લોહીમાં શર્કરામાં વધારો અને ઇન્સ્યુલિન હોર્મોન જોખમના સંકેતો જોવા મળ્યા છે. આમ અભ્યાસ પ્રમાણે જોવા જઈએ તો સવારે 8.30 પહેલા નાસ્તો કરવો ડાયાબિટીસના જોખમને ઘટાડે છે.

ખોરાકની માત્રા કરતાં વધુ સમય જરૂરી

અભ્યાસમાં, જેમણે સવારે 8:30 પછી નાસ્તો કર્યો હતો તેમનામાં બ્લડ સુગર અને ઇન્સ્યુલિન પ્રતિકાર બંને ખૂબ ઊંચા હોવાનું જણાયું હતું. આજકાલ વજન નિયંત્રણ માટે વિવિધ પ્રકારની ડાયેટિંગ ટેકનિક અપનાવવામાં આવી રહી છે. ઘણા અભ્યાસો દાવો કરે છે કે નક્કી સમયે થોડું થોડું ભોજન ખાવાથી મેટાબોલિક આરોગ્ય સુધરે છે.

જોકે આ નવા અભ્યાસમાં થોડા થોડા સમયે ખાવાથી ઇન્સ્યુલિન પ્રતિકાર વધ્યો હોવાનું જણાયું હતું, પરંતુ લોહીમાં ગ્લુકોઝમાં કોઇ ખાસ ફેરફાર થયો ન હતો. નિષ્ણાતો કહે છે કે ખોરાકને થોડા થોડા સમયે ખાતા રહેવા કરતા સારું છે કે ખોરાકને તમે સંપૂર્ણ સમય આપો, પરંતુ જ્યારે તમે ક્ખાયારે આહાર લઇ રહ્યા છો તે વાતનું સંપૂર્ણ ધ્યાન રાખો.

આ પણ વાંચો: Health : જાણો એવા શાકભાજી અને ફળો વિશે જેને કાચા ખાવા જ વધુ ફાયદાકારક

આ પણ વાંચો: Health : નાભિ થેરપી છે શરીરની અનેક નાની સમસ્યાઓનો એક ઉપાય

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">