શું તમે શિયાળામાં ખજૂર ખાવાના ફાયદા અને યોગ્ય રીત જાણો છો?

ખજૂર કુદરતી ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં ફાઇબર ભરપૂર હોવાથી, તે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાત દૂર કરે છે. ખજૂર આયર્નથી ભરપૂર હોય છે, જે શરીરમાં લોહીની અછતને પૂર્ણ કરે છે અને એનિમિયા જેવા રોગો સામે રક્ષણ આપે છે.

શું તમે શિયાળામાં ખજૂર ખાવાના ફાયદા અને યોગ્ય રીત જાણો છો?
Dates in Winter Benefits Right Way to Eat and Health Tips
Image Credit source: Tv9Gujarati
| Updated on: Dec 30, 2025 | 7:28 PM

સૂકા ફળો પોષક તત્વોનો પાવરહાઉસ માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, વિટામિન, ખનિજો અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરના એકંદર વિકાસ માટે જરૂરી છે. બદામ અને અખરોટ જેવા સૂકા ફળો ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે મગજના કાર્યને વધારવા અને યાદશક્તિ સુધારવા માટે અત્યંત ફાયદાકારક છે. ઉપરાંત, તેમના એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરને કોષોના નુકસાનથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સૂકા ફળોનું નિયમિત સેવન લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રાખે છે, જે હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. પિસ્તા અને કિસમિસ, જેમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે, એનિમિયા દૂર કરવામાં મદદ કરે છે.

બીજી બાજુ, સૂકા ફળો પાચનતંત્ર અને ઉર્જા સ્તર પર સકારાત્મક અસર કરે છે. સૂકા ફળોમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને મેટાબોલિઝમમાં સુધારો થાય છે. ખજૂર અને અંજીર જેવા ખોરાક કુદરતી ઉર્જાના ઉત્તમ સ્ત્રોત છે, જે થાક દૂર કરીને શરીરને ઉર્જા પ્રદાન કરે છે. કાજુ અને અખરોટમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાની મજબૂતી માટે મહત્વપૂર્ણ છે. વજન ઘટાડવા માંગતા લોકો માટે સૂકા ફળો એક ઉત્તમ સ્વસ્થ નાસ્તો છે, કારણ કે તેને ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

આજે અમે તમને ખજૂરના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ખજૂરમાં ફાઇબર, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી સહિત ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. હાડકાંને મજબૂત બનાવવાથી લઈને પાચન સુધારવા સુધી, તે શરીરને ઘણા ફાયદા પૂરા પાડે છે.

સાંધાના અને કમરના દુખાવામા આરામ આપે

આજે અમે તમને વિવિધ સમસ્યાઓ માટે ખજૂર ખાવાની યોગ્ય રીત જણાવવા જઈ રહ્યા છીએ અને શિયાળામાં ખજૂર ખાવાના ફાયદા પણ જાણીશું. સાંધાના દુખાવા અને કમરના દુખાવામાં રાહત મેળવવા માટે ખજૂરનું સેવન પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે, 2 ખજૂર અને 1 ચમચી મેથીના દાણાને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. આ પછી, સવારે ઉઠીને, આ બંને વસ્તુઓ ચાવીને પલાળેલા પાણી સાથે પીવો. નિયમિત રીતે આ કરવાથી, તમને થોડા દિવસોમાં રાહત મળશે.

કમજોરી અને કફ દુર કરે

જો તમને ખૂબ થાક અને કમજોરી લાગે છે, તો તમે આ રીતે ખજૂરનું સેવન કરી શકો છો. આ માટે, 1 ગ્લાસ દૂધમાં 2-4 ખજૂર, 4-6 મનુકા અને 2 અંજીર ઉકાળો. હવે રાત્રે સૂતા પહેલા આ દૂધ પીવો. 1 મહિના સુધી આ કરવાથી તમારી શારીરિક શક્તિ વધશે અને તમને થાક અને કમજોરી પણ દૂર થશે. છાતીમાં જમા થયેલા કફને દૂર કરવા માટે ખજૂર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે, તમારે 2 ખજૂર ચાવીને પછી નવશેકું પાણી પીવું જોઈએ. આ કફને પાતળો કરી બહાર નીકાળી આરામ આપે છે. ગળાના દુખાવામાં રાહત મેળવવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે.

શિયાળામાં ખજૂર ખાવાના અન્ય ફાયદા

  • પાચનમા રાહત આપે – ખજૂર ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. કબજિયાત, એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે ખજૂરનું સેવન કરી શકો છો.
  • હૃદય સ્વાસ્થ્ય રાખવામાં મદદ કરે- ખજૂર હૃદય રોગને રોકવામાં પણ ખૂબ ઉપયોગી છે. તેનું સેવન શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
  • રોગપ્રતિકારક શક્તિ – ખજૂરમાં ઘણા એન્ટીઓકિસડન્ટ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ખજૂરનું નિયમિત સેવન શરીરને શરદી અને ફ્લૂ જેવા મોસમી રોગોથી બચાવે છે.

ભોજન કર્યા પછી તમને પણ એવું થાય છે કે “કુછ મીઠા” હો જાય!, વાંચવા માટે અહીં ક્લિક કરો