Benefits of mint : પાચનશક્તિ વધારવા સહીત ફુદીનાના અનેક ફાયદાઓ છે, આવી રીતે કરો ઉપયોગ

Benefits of mint : ફુદીનામાં ખૂબ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. પાંદડાનો રસ કાઢી શકાય છે અથવા રાયતું પણ બનાવવામાં આવે છે.

Benefits of mint : પાચનશક્તિ વધારવા સહીત ફુદીનાના અનેક ફાયદાઓ છે, આવી રીતે કરો ઉપયોગ
Benefits of mint
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 6:59 PM

Benefits of mint : ફુદીનો એ મેન્થા કુળની બારમાસી, સુગંધીદાર વનસ્પતિ છે. ફુદીનાની વિભિન્ન પ્રજાતિઓ યૂરોપ, અમેરિકા, એશિયા, અફ્રીકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ ઉપરાંત તેની કેટલીક મિશ્ર જાતો પણ ઉપલબ્ધ છે. ફુદીનાનું વૈજ્ઞાનિક નામ ‘મેન્થા આર્વેન્સિસ’ (Mentha Arvensis) છે.

પાચનશક્તિ વધારવાથી લઈને તમારા શ્વાસને લાંબા સમય સુધી તાજું રાખવા સુધી મિન્ટ એટલે કે ફુદીનાના ઘણા બધા ફાયદાઓ છે. તેનાથી તને મોકટેલ, ચટણી અથવા રાયતા બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું મિન્ટના ફાયદા.

ફુદીનાના ફાયદા- Benefits of mint મિન્ટ અથવા ફુદીનો એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. મિન્ટનો ઉપયોગ વિવિધ રીતે થઈ શકે છે. લોકો રસોડામાં કે ઘરના બગીચામાં ફુદીનો રાખતા જ હોય છે. ફુદીનો (Mint)એ સૌથી પ્રાચીન રાંધણ વનસ્પતિ છે. તેના નોંધપાત્ર ઔષધીય ગુણધર્મોએ તેને અત્યાર સુધીની સૌથી વધુ જાણીતી અને ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓમાંની એક બનાવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ફુદીનામાં ખૂબ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. પાંદડાનો રસ કાઢી શકાય છે અથવા રાયતું પણ બનાવવામાં આવે છે. તે રક્તમાં શર્કરાના સ્તરને સંચાલિત કરવા અને ત્વચાની સ્થિતિમાં સારવાર માટે ફુદીનો ઉત્તમ છે. ઉનાળામાં, વ્યક્તિએ ખાસ કરીને તેને ભોજનમાં ઉમેરવું જોઈએ. ફુદીનો ખૂબ જ ઠંડક આપે છે અને પાચનમાં તેમજ શ્વાસના વિકારમાં પણ મદદ કરે છે.

ફુદીનાના અન્ય ફાયદો (Benefits of mint) જોઈએ તો …

1) ફુદીનામાં ડાઈજેસ્ટિવ સિસ્ટમને ઠીક કરવાની ક્ષમતા છે.

2) ફુદીનો દમના દર્દીઓ માટે ફાયદાકારક છે. ફુદીનો બળતરા વિરોધી ગુણધર્મોથી ભરેલો છે.

3) જો તમને શરદી અને શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તો ફુદીનાનો પ્રયોગ કરો. ફુદીનો નાક, ગળા, શ્વાસનળી અને ફેફસાંના કફને સાફ કરે છે.

4) ફૂદીનાથી માથાનો દુખાવો મટાડવામાં પણ મદદ મળી શકે છે. તેની મજબૂત સુગંધ માથાનો દુખાવો ઓછો કરવામાં મદદ કરી શકે છે. ફુદીનાના પાન અથવા મૂળ તેલવાળા બામ, જ્યારે કપાળ અને નાક પર ઘસવામાં આવે છે, ત્યારે માથાનો દુખાવો અને ઉબકા મટાડવામાં અસરકારક છે.

5) ફુદીનો આપણા એકંદર મોઢાના આરોગ્ય માટે પણ જાદુઈ કામ કરે છે. તે મોંની અંદર બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. આ જ કારણ છે કે બજારમાં ઘણા ટૂથપેસ્ટ પણ મિન્ટ (Mint) ફ્લેવર માં આવે છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">