કાળી મરીનો ઉપયોગ પુલાવ અને અન્ય શાકભાજીનો ટેસ્ટ વધારવા માટે થાય છે પણ તે સ્વાદ વધારવાની સાથે તંદુરસ્તી માટે પણ શ્રેષ્ઠ છે. તેને ભોજનમાં સામેલ કરવાથી ઘણી સમસ્યાઓને દૂર રાખી શકાય છે. હળદર અને કાળી મરીને દૂધમાં નાંખીને પીવાથી અતિશય શરદીથી પીડાતા વ્યક્તિને મદદરૂપ થઈ શકે છે.
1). કાળી મરી પાચનતંત્રને સારું કરે છે. જ્યારે તેને ચાવીને ખાવામાં આવે છે ત્યારે હાઈડ્રોકલોરિક એસિડ પેટમાંથી નીકળે છે અને તે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. તમારા ખોરાકમાં એક ચપટી કાળી મરીનો ઉમેરો જરુર કરો.
2). ભોજનમાં રોજ થોડી કાળી મરીના ઉપયોગથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. રોજ કાળી મરી ખાવાથી કોલન કેન્સર, કબજિયાત, ઝાડા અને બીજી બેક્ટેરિયા સંબંધી બીમારી દૂર થાય છે.
3). તે સ્કીન પ્રોબ્લેમને પણ અટકાવે છે અને ત્વચાના મૂળ રંગને યથાવત રાખે છે. જો નાની ઉંમરથી કાળી મરીનો ઉપયોગ કરો છો તો કરચલી અને ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે.
4). એક ચપટી કાળી મરીને ગ્રીન ટીમાં ભેળવીને દિવસમાં બેથી ત્રણ વાર પીઓ, જે વધારાની ચરબીને દૂર કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
Published On - 4:47 pm, Sun, 27 September 20