ડાયાબિટીસ (DIABETES) એક એવી બીમારી છે જેની સાથે અન્ય બીમારીઓ પણ થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ તેન ખોરાકને લઈને વધુ સતર્ક રહેવાની જરૂર છે. ડાયાબિટીસના દર્દીઓની ડાયાબિટીસ વધવાનું કારણ શુગર(SUGAR) પણ હોય છે. જેથી ખાવા-પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે. જો સમય પર તેની કાળજી રાખવામાં ના આવે તો ડાયાબિટીસનું લેવલ વધી જાય છે. જેને લઈને ક્યારેક જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. આજે અમે તમને શુગરની જગ્યા પર તેના વિકલ્પ વિષે જણાવીશું જે તમે ડોક્ટરની સલાહ પર તમારી ડાયટમાં શામેલ કરી શકો છો.
ખજૂર(DATES)
ખજૂરમાં એક કે બે નહિ પરંતુ અનેક સર પોષક તત્વો હોય છે. ખજૂરમાં મેગ્નેશિયમ, વિટામિન બી6, કોપર, મેગ્નીઝ અને આયર્નનો ખજાનો હોય છે. જે તમને આસાનીથી પચાવી હકો છો. કોલેસ્ટ્રોરલ લેવલને કંટ્રોલ કરીને કાર્બોહાઇડ્રેટ, ફેટ અને પ્રોટીનને એનબોર્ન કરવામાં મદદ કરે છે.
કોકોનટ શુગર(COCONUT SUGAR)
નારિયેળમાંથી બનેલા શુગરમાં ઓછું ગ્લુકોઝ અને વધુ સારા મિનરલસ એટલે કેપોટેશિયમ, કેલ્શિયમ, આયરન, ઝીંક એન એન્ટી ઓક્સીડન્ટ હોય છે. આ કારણે કોકોનટ શુગર સ્વસ્થ હોય છે.
આર્ટિફિશિયલ સ્વીટનર (ARTIFICIAL SUGAR)
સામાન્ય રીતે તો કૃત્રિમ સ્વીટનર ખાંડ કરતા વધારે મીઠી હોય હોય છે, પરંતુ તેમાં કેલરીનું પ્રમાણ નહિવત્ છે અને તેથી જ તે થોડીક સલામત છે. વજન ઓછું કરવા માટે લોકો તેનો ઉપયોગ પણ કરે છે. તેથી ડાયાબિટીસના દર્દી માટે, તેના ઉપયોગમાં કોઈ સમસ્યા નથી, પરંતુ ડોક્ટરની સલાહ લો.
મધ (HONEY)
મધ એ એક ખૂબ જ સ્વસ્થ કુદરતી સ્વીટનર છે. જે ડાયાબિટીસના દર્દીઓ કોઈપણ તણાવ વિના ઉપયોગ કરી શકે છે. મધમાં વિટામિન બી 6, એન્ઝાઇમ્સ, ઝીંક, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ, ફોસ્ફરસ, નિયાસિન અને રાયબોફ્લેવિનથી ભરપૂર હોય છે. મધ જઠરાંત્રિય પ્રણાલીમાં સારા બેક્ટેરિયા બનાવવાનું કામ કરે છે. ધ્યાનમાં રાખો કે આ માટે મધ સંપૂર્ણપણે અનપ્રોસેસડ હોવું જોઈએ કારણ કે મધની પ્રક્રિયા દરમિયાન તેના તમામ પોષકતત્વો નાશ પામે છે.
આ પણ વાંચો: TEA પીવાના શોખીન છો ? શું તમે જાણો છો કે દૂધ વાળી ચા પીવાના ફાયદા અને નુકસાન ?