Health Tips: કોરોનાથી સાજા થયા બાદ પણ આ ટિપ્સને ફોલો કરવી છે ખૂબ જરૂરી

|

May 08, 2021 | 2:54 PM

Health Tips : કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ પણ 14 દિવસમાં સાજા થાય છે. જો કે નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી પણ લોકોને થાક અને કમજોરીની ફરિયાદ ઘણા દિવસો સુધી રહે છે.

Health Tips: કોરોનાથી સાજા થયા બાદ પણ આ ટિપ્સને ફોલો કરવી છે ખૂબ જરૂરી

Follow us on

Health Tips : કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ પણ 14 દિવસમાં સાજા થાય છે. જો કે નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી પણ લોકોને થાક અને કમજોરીની ફરિયાદ ઘણા દિવસો સુધી રહે છે. કેટલાક લોકોને તો તેમાંથી બહાર આવતાં ઓછામાં ઓછા છ કે આઠ મહિના જેટલો સમય લાગી જાય છે. જલ્દી રીકવરી લાવવા માટે અને જુના રૂટીનમાં પરત ફરવા માટે હેલ્થ એક્સપર્ટની આ ટિપ્સ કામ આવી શકે છે.

સવારે જલ્દી ઉઠવું :
સવારે જલ્દી ઉઠવાથી તમને ઉર્જાવાન મહેસુસ થશે. સવાર ની તાજી હવા શરીરને એક્ટિવ બનાવે છે. સવારે સવારે એક્સરસાઇઝ કરવાથી મૂડ સારો થાય છે અને દિવસ સારો પસાર થાય છે.તેનાથી તમે ફક્ત શારીરિક રીતે નહી પરંતુ માનસિક રીતે પણ મજબૂત થશો.

સરળ એક્સરસાઈઝ કરો
કોરોનાથી સાજા થયા બાદ કોઈપણ પ્રક્રિયામાં ઉતાવળ રાખવી નહીં. ભારે એક્સરસાઇઝ કરવાથી બચવું જોઈએ. ધીરે ધીરે સામાન્ય કસરતથી શરૂઆત કરવી જોઈએ. જેથી સરળ જ એક્સરસાઇઝ અને મેડીટેશન કે યોગા કરવા જોઈએ. આવા સમયે તમને સૌથી વધારે આરામ ની પણ જરૂર હોય છે જેથી હળવી એક્સરસાઇઝ કરો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પ્રાણાયામ કરો
ઘર પર રહીને ઓક્સિજનનું સ્તર જાળવી રાખવુ જોઈએ. અનુલોમ વિલોમ, કપાલભાતિ અને ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી શરીરમાં ઓક્સિજન ની કમી નથી આવતી. આ પ્રાણાયામ દરરોજ કરી શકો છો.

સવારનો તડકો લો
દરરોજ સવારે અડધો કલાક સુધી તડકામાં બેસો. સવારનો તડકો વધારે નુકશાનકારક નથી હોતો. જેથી સવારના તડકામાં બેસવાથી તમને વિટામીન ડી અને એનર્જી મળશે.

સૂકોમેવો ખાઓ :
એક દિવસ સવારે એક ખજૂર, મુઠ્ઠીભર કિસમિસ, બદામ અને અખરોટ ખાઓ. ધ્યાન રાખજો કે આ બધા સુકામેવા રાત્રે પાણીમાં પલાળી રાખવા જોઇએ. તેને દરરોજ સવારે ખાવાથી તમારુ શરીર અંદરથી મજબૂત થશે.

લંચ પર ધ્યાન આપો :
પુરી રીતે સાજા થયા બાદ કેટલાક દિવસ સુધી એવો જ ખોરાક લેવો જોઈએ જે હળવો અને આસાનીથી પચી શકે. દરરોજ દાળનું પાણી પીવું અને એક દિવસ છોડીને પૌષ્ટિક ખીચડી બતાવો તેનાથી શરીરમાં મજબૂતી આવશે.

દિવસમાં બે વાર જીરા કોથમીર અને વરિયાળી થી બનેલી ચા પીવી જોઈએ. તે શરીરને અંદરથી સાફ રાખે છે અને વજન પણ નહીં વધારે. તેનાથી તણાવ ઘટે છે અને પાચનક્રિયા યોગ્ય થાય છે. તમે તેને ભોજન બાદ એક કલાક પછી પણ પી શકો છો. ઇમ્યુનિટી વધારવા માટે તમે હર્બલ ટી પણ પી શકો છો.

રાત્રે જલ્દી સુઈ જાઓ :
કોરોના થી જલ્દી સાજા થવા માટે ઊંઘનું ખૂબ જ મહત્વ છે. જેટલી સારી ઊંઘ લેશો તો તમે તેટલા જલ્દી સારા થશો. રાત્રે જલદી ઊંઘવાની પણ ટ્રાય કરો. ટીવી મોબાઈલનો ઉપયોગ ઓછો કરો.

Next Article