સ્ટ્રીટ ફૂડના ચટાકા બાદ ભારે પડી શકે છે ફૂડ પોઇઝનિંગ

|

Oct 07, 2020 | 6:13 PM

સ્ટ્રીટ ફૂડ ખાવાનું લગભગ બધાને જ ગમતું હોય છે. રસ્તા પર મળતી ભેળ, કચોરી, પાણીપુરીના ટેસ્ટનું પૂછવું જ શું ? પણ કેટલાક લોકો આ સ્વાદના ચક્કરમાં આરોગ્યને ભૂલી જતા હોય છે. અને જેના કારણે ફૂડ પોઇઝનિંગનો શિકાર બનવું પડે છે. ફૂડ પોઇઝનિંગ વખતે જો ધ્યાન રાખવામાં નહિ આવે તો ઘણા ઘાતક પરિણામો પણ આવે છે. […]

સ્ટ્રીટ ફૂડના ચટાકા બાદ ભારે પડી શકે છે ફૂડ પોઇઝનિંગ

Follow us on

સ્ટ્રીટ ફૂડ ખાવાનું લગભગ બધાને જ ગમતું હોય છે. રસ્તા પર મળતી ભેળ, કચોરી, પાણીપુરીના ટેસ્ટનું પૂછવું જ શું ? પણ કેટલાક લોકો આ સ્વાદના ચક્કરમાં આરોગ્યને ભૂલી જતા હોય છે. અને જેના કારણે ફૂડ પોઇઝનિંગનો શિકાર બનવું પડે છે. ફૂડ પોઇઝનિંગ વખતે જો ધ્યાન રાખવામાં નહિ આવે તો ઘણા ઘાતક પરિણામો પણ આવે છે. આજે અમે તમને બતાવીશું ફૂડ પોઇઝનિંગના કારણો અને ઉપાયો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફૂડ પોઇઝનિંગ શું હોય છે ?
ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનું સંક્રમણ જ છે. જે સ્ટેફિલોકોક્સ નામના બેક્ટેરિયા, વાયરસ અને અન્ય જીવાણુથી થાય છે. આ બેક્ટેરિયા કોઈપણ પદાર્થને ખરાબ કરી દે છે. ફૂડ પ્રોસેસિંગ સમયે બેકેટરીયા આવી શકે છે. ખેતીમાં ગંદા પાણીનો ઉપયોગ કરવો અથવા ખાણીપીણીમાં ગંદા હાથોથી બનાવવું કે સફાઈમાં ધ્યાન ન રાખવાથી આ થઈ શકે છે.

શું છે ફૂડ પોઇઝનિંગના લક્ષણો ?
1). પેટમાં દુઃખાવો
2). લોહી પડવા સાથે ડાયેરિયા
3). ઠંડી સાથે તાવ આવવો
4). માથાનો દુઃખાવો
5). કમજોરી અને ઉલટી

ઘરગથ્થુ ઈલાજ :
1). એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ફિલ્ટર કર્યા વિના સફરજનનો સિરકો નાંખીને મિક્સ કરીને દિવસમાં બે વાર સેવન કરવુ જોઇએ. જેનાથી બેક્ટેરિયાનો નાશ થાય છે.

2). એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ અને અડધી ચમચી મધ નાંખીને મિક્સ કરીને સવાર સાંજ બે વાર પીવાથી પણ રાહત મળે છે.

3). એક કપ પાણીમાં તુલસીના તેલના એક બે ટીપાં નાંખવાથી દિવસમાં બે વાર તે લેવું જોઈએ.

4). લસણની બે ત્રણ કળીઓને છોલીને કાચી ખાઈ શકાય છે. અથવા તેને મધમાં ભેળવીને પણ ખાઈ શકાય છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાથી બેક્ટેરિયાનો પ્રભાવ ઓછો કરી શકાય છે.

5). એક કે બે આદુના ટુકડા પાણીમાં ઉકાળી લેવા જોઈએ, પાંચ મિનિટ પાણીમાં રાખીને એ આદુને છોલીને મધ સાથે ચાવીને ખાઈ શકાય છે. આ ઉપરાંત નાસ્તામાં બે બાફેલા ઈંડા અથવા વિટામિન સી યુક્ત ખાદ્ય પદાર્થો ખાઈ શકાય છે.

ફૂડ પોઇઝનિંગ થાય ત્યારે પ્રવાહીયુક્ત ખોરાક વધુ લેવો જોઈએ. કંઈ પણ ખાતા પહેલા હાથ ધોવાનો આગ્રહ રાખવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:05 am, Fri, 25 September 20

Next Article