એક Apple ખાવાથી કયારે પણ નહીં થાય આ બીમારી, જાણો શું છે Appleના ફાયદા

|

Feb 22, 2021 | 11:56 AM

સફરજન વિષે લોકોનું કહેવું છે કે, સફરજન ખાનારા વ્યક્તિ કયારે પણ બીમાર પડતા નથી. આ પહેલા પણ ઘણા સંશોધનમાં ખુલાસો થયો છે કે સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.

એક Apple ખાવાથી કયારે પણ નહીં થાય આ બીમારી, જાણો શું છે Appleના ફાયદા
Apple

Follow us on

સફરજન (Apple) વિષે તો આપણે સૌ સાંભળીએ છીએ. સફરજનથી તમે ઘણી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. દરરોજ એક સફરજનનું (Apple) સેવન કરવાથી કયારે પણ ડોક્ટર પાસે નહીં જવું પડે. આ વાત બહુ જ સાચી છે. સફરજનમાં ઘણા એવા સારા ગુણ છે. જે સ્વાથ્ય સારું રાખે છે.

સફરજન વિષે લોકોનું કહેવું છે કે, સફરજન ખાનારા વ્યક્તિ કયારેય પણ બીમાર પડતા નથી. આ પહેલા પણ ઘણા સંશોધનમાં ખુલાસો થયો છે કે સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. સફરજન ખાવાથી તમારી સ્મરણશક્તિ વધે છે. આ શોધ અનુસાર સફરજનમાં ઘણા એવા તત્વો હોય છે જે તમારી યાદશક્તિ વધારે છે. આ શોધ અનુસાર સફરજનમાં ઘણા એવા તત્વો હોય છે જે તમારા મગજ માટે ફાયદાકારક હોય છે. સફરજનમાં અલ્ઝાઈમર્સ અને ડિમેંશિયા જેવા તત્વો હોય છે જેનાથી ઘણી બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે.

જાણો સફરજનના ફાયદા

વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર સફરજનની છાલમાં કવર્સેટિન નામનું તત્વ હોય છે. તેથી સફરજનને છાલ સાથે ખાવું જ વધારે ફાયદેમંદ છે. સફરજન ખાવાથી હ્ર્દય રોગનો ખતરો ઓછો થાય છે. આ દાવો 20 હજારથી વધુ લોકોના સંશોધનમાં થયો છે. સફરજનમાં એન્ટીઓક્સીડન્ટ અને ફ્લેવોનોઈડ્સ જેવા તત્વો હોય છે. જે કેન્સરને ફેલાતા રોકી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સફરજન ફેફસાને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી થાય છે જે લોકો અઠવાડિયામાં 5 સફરજન ખાઈ છે તેના ફેફસા સારા રહે છે.

Next Article