શરીરમાં કફનું સંતુલન યોગ્ય રહેવું જરૂરી છે. કફ વધવાથી તમને 28 પ્રકારના રોગ થઈ શકે છે. પરંતુ તેનાથી બચવા માટે તમને એવી વસ્તુથી બચવું પડશે જે કફ પેદા કરે છે અથવા તો કફને વધારે છે. આવો જાણીએ કફ હોય ત્યારે કઇ વસ્તુ ન ખાવી જોઈએ અને કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.
ચરબીયુક્ત વસ્તુઓ ખાવાથી કફ વધી શકે છે, જેથી શક્ય હોય ત્યાં સુધી તેનાથી બચવાનો પ્રયત્ન કરો.
દૂધ કફને વધારે છે જો તમારી પ્રકૃતિ કફની છે તો તમારે દૂધનું સેવન ઓછું કરવું જોઈએ. અથવા તો હળદરની સાથે તેનું સેવન કરવું.
કફમાં માંસનું સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. અને તેના માટે કફ થવા પર માંસનું સેવન કરવાથી બચવું જોઈએ જો કફની ખાંસી થઈ હોય તો માંસનું સેવન ઓછામાં ઓછો કરો.
માખણમાં સૌથી વધારે ચરબી હોય છે જેથી તે કફ વધારવાનું કામ કરે છે. કફની સમસ્યામાં માખણ અથવા તો માખણ યુક્ત વસ્તુઓનું સેવન ન કરો.
પનીરથી કફ બને છે. કેટલાક લોકોને પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. તો કેટલાક લોકોને પનીર આસાનીથી પચતું પણ નથી. જેથી તેનું વધારે પડતું સેવન ન કરો.
શું ખાવું ?
સવારે અથવા દિવસના ભોજન પછી ગોળનું સેવન ફાયદાકારક હોઈ શકે છે. ગોળની તાસીર ગરમ હોય છે. તે કફ ને ઓછું કરવા માટે મદદરૂપ છે. સાથે જ તે પાચન ક્રિયાને પણ સારી બનાવે છે.
તુલસી, સૂંઠ, આદુ અને મધ જેવી વસ્તુઓનું સેવન કફને ઓછુ કરવામાં ખૂબ જ ફાયદાકારક થાય છે. તો એને કોઈ પણ રીતે પોતાની ડાયટમાં સામેલ કરો.
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.
આ પણ વાંચોઃ માથાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે અજમાવો ઘરેલૂ ઉપાયો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો