BROWN RICEનું સેવન કરવાથી વજન રહે છે કંટ્રોલ, જાણો શું છે બંને પ્રકારના ચોખામાં અંતર

|

Jan 22, 2021 | 6:42 PM

જે લોકો પોતાની ફિટનેસ (FITNESS) પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે તે ચોખા નથી ખાતા. ચોખા ખાવાથી માત્ર શરીરની ચરબી જ નહીં પરંતુ વારંવાર ભૂખ પણ લાગે છે.

BROWN RICEનું સેવન કરવાથી વજન રહે છે કંટ્રોલ, જાણો શું છે બંને પ્રકારના ચોખામાં અંતર

Follow us on

જે લોકો પોતાની ફિટનેસ (FITNESS) પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે તે ચોખા નથી ખાતા. ચોખા ખાવાથી માત્ર શરીરની ચરબી જ નહીં પરંતુ વારંવાર ભૂખ પણ લાગે છે, પરંતુ જો તમે બ્રાઉન રાઈસ ખાતા હોય તો વજન વધવાના જોખમમાં ઘટાડો થાય છે. મોટાભાગના લોકોને બ્રાઉન (BROWN RICE) અને સફેદ ચોખા (WHITE RICE) વચ્ચેનો તફાવત ખબર નથી હોતો. જાણો બ્રાઉન રાઈસ એટલે શું અને તેના ફાયદા શું છે?

 

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે બ્રાઉન રાઈસ અને સફેદ ચોખા વચ્ચે શું તફાવત છે. ખરેખર, બ્રાઉન રાઈસમાં ભૂસું કાઢવામાં આવતું નથી, જેના કારણે તેના પોષક તત્વો આખા અનાજ જેટલા રહે છે. સફેદ ચોખામાં ભુસા કાઢી નાખવામાં આવે છે. આ ભૂસું કાઢી નાખવાથી ચોખામાં રહેલા પોષક તત્વો ઘટી જાય છે. બ્રાઉન રાઈસ બનાવવામાં વધુ સમય લાગતો હોવાથી અને વધુ સમય રાખી ના શકવાથી ભારતમાં લોકો તેને પસંદ નથી કરતાં. પરંતુ હવે ટેકનિકથી મદદથી બ્રાઉન રાઈસને લાંબો સમય સુધી ટકાવી શકાય છે. બ્રાઉન રાઈસનો સ્વાદ પણ હવે લોકોને બહુ જ પસંદ આવવા લાગ્યા છે. બ્રાઉન રાઈસમાં પણ નોન બાસમતી ફાયદેમંદ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

સફેદ ચોખા કરતાં બ્રાઉન રાઈસના ઘણા ફાયદા છે. બ્રાઉન રાઈસમાં વિટામિન, કેટલાક ખનીજો, લીગનાન અને ફાયટો-કેમિકલ અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપુર પોષક તત્વો હોય છે. જેમાં વિટામિન ઈ, સેલેનિયમ, મેંગેનીઝ હોય છે. તેને તમારા આહારમાં નિયમિતપણે સામેલ કરવો જોઈએ. બ્રાઉન ચોખાએ આખા અનાજનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. બ્રાઉન રાઈસના ફાયદાની વાત કરવામાં આવે તો તે મેદસ્વીતા ઘટાડવામાં મદદ કરે છે. બ્રાઉન રાઈસ ડાયાબિટીઝનું જોખમ ઘટાડે છે. હાડકાંમાં મેગ્નેશિયમની ઉણપને પૂર્ણ કરે છે.

 

નોન-બાસમતી બ્રાઉન રાઈસમાં જીઆઈની માત્રા ઓછી છે. જ્યારે ખોરાક પાચક તંત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે આ કાર્બોહાઈડ્રેટ્સ શુગરમાં તૂટી જાય છે અને લોહીમાં ખાંડનું સ્તર વધારે છે. આ પ્રવૃત્તિઓ કેટલી ઝડપથી થાય છે તેનું માપ જી.આઈ. દ્વારા કરવામાં આવે છે. બ્રાઉન રાઈસ આ વજન વધારવા જેવી સમસ્યાઓ ઘટાડે છે. મોટાપો ના વધવાથી જીવનશૈલીને લગતી ઘણી બીમારીઓ ઓછી થાય છે. જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમના માટે બ્રાઉન રાઈસ ખૂબ ફાયદાકારક છે.

 

આ પણ વાંચો: BIRTHDAY SPECIAL: આખરે એવું તે શું કારણ છે કે NETAJIના મોતનું રહસ્ય હજુ સુધી જાણી શકાયું નથી

Next Article