સારી ગુણવત્તા મળી રહે તે માટે લોકો બ્રાન્ડેડ અને મોટી હોટલમાં જમવા જતા હોય છે, પરંતુ આ હોટેલો ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરતી હોય તેમ લાગે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણકે ફરીવાર અમદાવાદમાં ઓનેસ્ટની પ્રામાણિકતા પર સવાલ ઉઠ્યા છે. ઓનેસ્ટની પ્રહલાદનગર સ્થિત રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવાત નીકળી છે. જીવાત નીકળતા ગ્રાહકે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી, પરંતુ આરોગ્ય વિભાગે ચેકિંગના બદલે રેસ્ટોરન્ટને ફરિયાદીની માહિતી આપી હતી. જેથી રેસ્ટોરન્ટ મેનેજરે ગ્રાહકને સમજાવી દીધા હતા. ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત નીકળવાનો એક જ સપ્તાહમાં બીજો કિસ્સો છે. જેથી પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટની ફૂડ ક્વોલિટીને લઈને સવાલો સર્જાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં કેટલા છે સભ્યો? જાણો કોણ શું કરે છે? જુઓ VIDEO
Published On - 1:06 pm, Mon, 14 October 19