આ છે લીલી કોથમીરના ફાયદા જેના વિશે તમે અત્યાર સુધી હતાં અજાણ, વાંચો આ લેખ

|

Oct 22, 2020 | 5:29 PM

લીલી કોથમીરનો ઉપયોગ ઘણી વાર આપણે શાકમાં સ્વાદ વધારવા અને સલાડ માટે કરીએ છે. ત્યાં જ કોથમીરની લીલી ચટણીથી પકોડાનો સ્વાદ બમણો થઈ જાય. પરંતુ તેની સાથે જ કોથમીરના ઘણા ફાયદા છે, જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તેમાં રહેલ વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે […]

આ છે લીલી કોથમીરના ફાયદા જેના વિશે તમે અત્યાર સુધી હતાં અજાણ, વાંચો આ લેખ

Follow us on

લીલી કોથમીરનો ઉપયોગ ઘણી વાર આપણે શાકમાં સ્વાદ વધારવા અને સલાડ માટે કરીએ છે. ત્યાં જ કોથમીરની લીલી ચટણીથી પકોડાનો સ્વાદ બમણો થઈ જાય. પરંતુ તેની સાથે જ કોથમીરના ઘણા ફાયદા છે, જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તેમાં રહેલ વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે તો આવો જાણીએ કોથમીરના ફાયદા વિશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોથમીરમાં વિટામિન એ અને સી હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. ગરમી હોય કે શિયાળો તેનો ઉપયોગ કરવો હંમેશા શરીર માટે ઘણા પ્રકારના લાભ કરાવે છે. પાચનશક્તિને મજબૂત રાખવી હોય તો તેનો ઉપયોગ તમારે નિયમિત રીતે કરવો જોઈએ તેનાથી તમારી પાચનશક્તિ વધે છે. કોથમીરના સેવનથી પેટ સંબંધિત પરેશાનીઓમાં આરામ મળે છે અને કબજિયાત, પેટમાં દુખાવો તેમજ ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. ડાયેરીયામાં કોથમીર ખાવાથી પણ ફાયદો પહોંચાડે છે. કોથમીરની ચટણી અને સલાડ પેટને રાહત પહોંચાડે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોથમીર વિટામીન એ અને સીનો મુખ્ય સ્ત્રોત છે. તે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. તેના નિયમિત સેવનથી શરદી ખાંસીથી છુટકારો મળે છે. કોથમીરમાં રહેલા તત્ત્વ શરીરમાં કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તેને કંટ્રોલમાં રાખે છે. તે લોહીમાં ઈન્સ્યુલિનની માત્રાને નિયમિત કરે છે. કોથમીર મહિલાઓમાં માસિક સંબંધીત સમસ્યાઓને દૂર કરે છે, જો પીરિયડ્સ સાધારણ કરતાં વધારે આવતું હોય તો અડધા લીટર પાણીમાં લગભગ છ ગ્રામ કોથમીરના બીજ નાખીને ઉકાળો અને તે પાણીમાં ખાંડ નાંખીને પીવાથી ફાયદો થશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Next Article