પ્રેમલગ્ન બાદ યુવકે કલેકટર પાસે કરી ઈચ્છા મૃત્યુની માગ! કારણ જાણી તમે ચોકી જશો
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના એક યુવકે કલેક્ટર પાસે કરી ઇચ્છા મૃત્યુની અરજી. યુવકે થોડા દિવસ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ આ ઇચ્છા મૃત્યુની માગ કરી છે. યુવકનો દાવો છે કે, લગ્ન બાદ સમાજના લોકોની સમજાવટથી યુવતી પરત પિયર ચાલી ગઇ છે અને ત્યારબાદ કોઇના વાતોમાં આવીને યુવતીએ યુવક સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી […]
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના એક યુવકે કલેક્ટર પાસે કરી ઇચ્છા મૃત્યુની અરજી. યુવકે થોડા દિવસ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ આ ઇચ્છા મૃત્યુની માગ કરી છે. યુવકનો દાવો છે કે, લગ્ન બાદ સમાજના લોકોની સમજાવટથી યુવતી પરત પિયર ચાલી ગઇ છે અને ત્યારબાદ કોઇના વાતોમાં આવીને યુવતીએ યુવક સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહિં યુવતી અને સમાજના કેટલાક લોકો સતત તેને ધમકી આપે છે. તેથી કંટાળીને તેઓ ઇચ્છા મૃત્યુની માગ કરી રહ્યા હોવાની વાત યુવકે કરી છે.
આ પણ વાંચો: હનીટ્રેપમાં ફસાયો વેપારી, આ ઘટના તમારી આંખ ઉઘાડનારી છે, મહિલા મિત્રથી રહેજો સાવધાન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો