AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાય તો શું કરવું? સાંભળો ભરૂચ એસપી ડો લીના પાટીલનો જવાબ

જિલ્લા પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલાં લેવા માટે આદશો મળ્યા છે. બળજબરી પૂર્વક નાણાં વસૂલ કરનારા સામે ગુનો દાખલ કર્યા બાદ ઝડપી પુરાવા એકઠા કરીને ધરપકડ કરવામાં આવી રહી છે જેથી આરોપીઓ દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે અથવા રાહત મેળવવાની શક્યતા નકારી શકાય.

કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાય તો શું કરવું? સાંભળો ભરૂચ એસપી ડો લીના પાટીલનો જવાબ
Bharuch SP Dr Leena Patil gave guidance regarding usury
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 6:28 PM
Share

આજની મોંઘવારીમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરતા લોકો વ્યાજે નાણાં લેવા મજબૂર બને છે. કેટલાક તકવાદીઓ જરુરીયાતમંદ લોકોની મજબુરીનો લાભ ઉઠાવી ઉંચા વ્યાજે નાણાંનું ધિરાણ કર્યા બાદ અનેક ઘણું વ્યાજ વસુલે છે. નાણાં પરત કરવામાં મુશ્કેલી અનુભવનારને બાદમાં ધાક ધમકી આપીને તેના બદલે મિલકતો પડાવી લેવાના કિસ્સા સામે આવે છે. આ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરવાના બનાવો પણ સામે આવી ચુક્યા છ જેના કારણે સરકાર સક્રિય બની છે. ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ વ્યાજખોરીના દૂષણને ડામવા કડક હાથે કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે. ગેરકાયદસર રીતે આડેધડ વ્યાજ વસૂલનારા સામે તાત્કાલી ફરિયાદ નોધીને તુરંત ધરપકડ કરવામાં આવી રહી છે. જો તમે પણ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા છો તો શું કરવું? આ બાબતે ભરૂચ એસપી ડો. લીના પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચમાં 7 વ્યાજખોરોની ધરપકડ સાથે પોલીસે કડક કાર્યવાહીની શરૂઆતનો સંકેત પણ આપ્યો છે.

ગુજરાત રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કકરનારાઓ સામે કાયદાઓ બનાવાયા છે. વ્યાજખોરો દ્વારા વ્યાજના પૈસા માટે લોકોને કનડગત સામે કાર્યવાહી કરવા રાજય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આદેશ કરવામાંઆવ્યો છે. જરુરીયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે રૃપિયાનું ધિરાણ કરીને પાછળથી નાણાનું અનેક ઘણું વ્યાજ વસૂલવા માટે ધાક -ધમકી આપીને બળજબરી પૂર્વક ઘણી વખત દેણદારની મિકલતો પણ લખાવી લેવામાં આવે છે. આ બદીને ડામવા માટે પોલીસ વડાએ તમામ જિલ્લા-શહેર પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલાં લેવા માટે આદશો આપ્યા છે.

જિલ્લા પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલાં લેવા માટે આદશો મળ્યા છે. બળજબરી પૂર્વક નાણાં વસૂલ કરનારા સામે ગુનો દાખલ કર્યા બાદ ઝડપી પુરાવા એકઠા કરીને ધરપકડ કરવામાં આવી રહી છે જેથી આરોપીઓ દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે અથવા રાહત મેળવવાની શક્યતા નકારી શકાય. વ્યાજખોરો દ્વારા નાણાંની અવેજમાં દેણદારોને ધાક-ધમકી આપીને મિલકતો પણ પડાવી લેવામાં આવતી હોય છેઆ કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓને વિશેષ સૂચનાઓ પણ આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">