અમદાવાદમાં બોપલ અને નિકોલમાં પાણીની જર્જરીત ટાંકી ધરાશાયી થવાની ઘટના બાદ હવે અમદાવાદમાં ટાંકી પડવાની ત્રીજી ઘટના બની છે. શહેરના ગોતા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શહેરમાં 26 પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે. ગોતાના વસંતનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે તંત્ર સામે સવાલો ઉભા થયા છે કે વારંવાર કેમ આ પ્રકારની ઘટના બને છે, આખરે તંત્ર શું કરી રહ્યું છે? આ પાણીની ટાંકી ધરાશાયી થઈ તેની જવાબદારી કોની?
જર્જરિત મકાનો તોડવાના આદેશ આપ્યા છે તો કેમ વારંવાર આ પ્રકારની ઘટના બની રહી છે? આ ઘટનામાં એક મકાનને સામાન્ય નુકસાન થયું છે. આ પાણીની ટાંકી વર્ષ 1997માં બની હતી. ઘટનાની જાણ થતાં ફાયરબિગ્રેડની 7થી8 ગોડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:25 am, Mon, 18 November 19